Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 177
________________ બ્રહ્મચર્યનું સ્વરૂપ. ૧૩S. કોણે કર એ અને વિચારવાના રહે છે. વિષયસેવનને સંપૂર્ણ ત્યાગી સાધુઓ માટે શક્ય છે. વિષયસેવનમાં સંપૂર્ણ સંયમના માર્ગનું વિધાન સાધુઓ માટે થયેલું છે. સાધુઓ માટે વિષયસેવનને પરિવાર શક્ય હોઈ શકે, સંસારીઓ માટે નહિ. સંસારીઓ અમુક અંશે જ વિષયસેવનને ત્યાગ સામાન્ય રીતે કરી શકે. મધ્યમ પ્રકારના ચિત્ત-સંયમસેવીઓ માટે વિષયસેવનને સંપૂર્ણ ત્યાગ થઈ શકે નહિ. આથી વિષયવાસનાને ક્ષય બને તેટલે કેમ કરી? વિષયસેવન બને તેટલું ઓછું કેમ કરવું? એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે જે વ્રતને વિચાર કરી રહ્યા છીએ તે વ્રતથી આ પ્રશ્નનું સુંદર રીતે સમાધાન થઈ જાય છે. સ્વદારા–સંતોષ અને પરદારા-વિરમણ એમ ચોથા વ્રતના બે ભાગ છે. પિતાની પત્નીથી સંતુષ્ટ રહેવું એટલે સ્વદારાસંતેષ અને પરસ્ત્રીનાં સેવનથી વિમુખ રહેવું એ પરદારા-વિરમણ છે. ચતુર્થ વ્રત આખુયે લેવું હોય તે તે લઈ શકાય છે. વ્રતના બે ભાગમાંથી બીજા ભાગને ત્યાગ અને સ્વદારાસતેષ તેમ પણ થઈ શકે છે. ચતુર્થ વ્રતધારીએ વાણી અને વિચારની દૃષ્ટિએ વ્રત-ભંગ ન થાય તે માટે યથાશકર્યો પ્રયત્ન કરે જોઈએ. દિવસમાં સ્ત્રી–સેવન ન થાય. ફરી લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા પણ કેટલાક વ્રતધારીઓ લે છે..

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226