Book Title: Jain Dharm
Author(s): Jain Atamanand Sabha
Publisher: Jain Atamanand Sabha

View full book text
Previous | Next

Page 217
________________ ભાગ ત્રીજો. પ્રકરણ ૬ હું ઉપસંહાર (સિંહાવલેકન). પૃથક્કરણની દ્રષ્ટિએ જૈન સિદ્ધાન્તનો વિચાર કર્યા પછી એ સિદ્ધાન્તનું સમીકરણ (સગીકરણ) કરવાનું રહે છે. જૈન સિદ્ધાન્તનાં ૯ મુખ્ય (પરમ) સત્ય છે. એ સત્યે શાશ્વતપણું અને પરિવર્તન એમ પરસ્પર ભિન્ન અને વિરોધી દ્રષ્ટિબિન્દુઓનું નિદર્શન કરે છે. એક જ ક્રિયાપદ ( ક્રિયાસૂચક શબ્દોથી કઈ વસ્તુવિષયક સંપૂર્ણ સત્ય વ્યક્ત થઈ શકે નહિ એ જૈન ધર્મના પરમ સત્યોની એક વિશિષ્ટતા છે. પરમ સત્યેનું તાત્પર્ય જૈન ધર્મના પરમ સત્યેનું તાત્પર્ય એ છે કે – આપણે ચેતનાયુક્ત પ્રાણુઓ (જી) અને ચેતનારહિત જડ વસ્તુઓ ( અજીવ)વાળા સત્ય અને શાશ્વત જગતમાં વસીએ છીએ. કર્મરૂપી ભૌતિક પદાર્થનું સૂક્ષ્મ સ્વરૂપમાં આકર્ષણ (આશ્રવ) થવાથી આત્મા સાથે કર્મની એકતા (બંધ) થાય છે. કર્મના આશ્રવ અને બંધથી આત્માના ટિKUા છે.

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226