Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 16
________________ હિમાલયની પદ યાત્રા-૧ શી રીતે ? એના મુખ્ય વ્યવસ્થાપક ચિરંજીલાલ મને કહેવા લાગ્યા કે શું આ સંસ્થા આપણે ચલાવીએ છીએ ? ઈશ્વર ચલાવે છે. ઈશ્વર કેવી રીતે ચલાવે છે, ઈશ્વર ક્યાંથી પૈસા લાવે છે, ઈશ્વરને એ પૂછવાનો આપણને અધિકાર છે ? આપોઆપ લાખોના દાતારો મળી રહે છે. આ સાંભળીને હું તો ચકિત જ થઈ ગયો. આપણે જૈનોએ આમાંથી શીખવું જોઈશે. નામ ધર્મશાળા હોય છે. હકીકતમાં બધી ધનશાળાઓ થઈ ગઈ છે. પૈસાદારોને જ આવકારવામાં આવે છે. ગરીબનો કોઈ ભાવ જ પૂછતું નથી. પાલિતાણા-શંખેશ્વરજી તથા બીજાં પણ સ્થાનોમાં બધે સ્થળે મોટા મોટા ચાર્જ રાખેલા હોય છે. ખરેખર ધર્મશાળા મફત જ હોવી જોઈએ. તો જ એ ધર્મશાળા કહેવાય. ધામધૂમ-જલસા-આડંબરોમાં નામના તથા દેખાવ કરવા માટે લાખો રૂપિયા ખર્ચ કરનારા દાતાઓ જો મૂક રીતે આવું દાન આપે તો ધર્મશાળાના સંચાલકોને મુશ્કેલી પડે જ નહિ. વચમાં અમને દાદા ભગવાનના ભક્તો મળેલા. એમણે કહ્યું કે અમારે ત્યાં કરોડો આપના૨નું પણ નામ આપવામાં આવતું નથી. બાબુના તલાટીના દેરાસરે ચડતાં પગથિયે નામો લખાવનારની તકતી જોવા મળશે. નામ છે એનો નાશ છે એવી મોટી મોટી વાતો કરનારાઓ Jain Education International For Private & Personal Use Only ૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128