Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 95
________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ અમે પૂછ્યું કે ખાવાની શી વ્યવસ્થા છે ? ઉત્તરમાં કહ્યું કે ઉપરવાળો ઈશ્વર સાંભળી લે છે. જતા આવતા મુસાફરો આપી જાય છે. છ મહિના જ્યારે બરફ પડે ત્યારે કોઈ યાત્રાળુ આવે નહિ ત્યારે જોશીમઠ આદિ જઈને લોટ લઈ આવે છે. લોટ પકાવીને દાળ-શાક સાથે ખાઈ લે છે. તદન સાદું થોડા જ દ્રવ્યોનું ભોજન લે છે. અમારી સાથેના માણસોએ એમને લાડવા ગાંઠિયા આપ્યા. તો તેણે બીજા બાવાઓ આવ્યા હતા તેમને આપી દીધા. આખો દિવસ શું કરો છો, તો કહે “પ્રભુભજન સ્મરણ કરું છું.” સર્પ આદિના ભયનું પૂછયું. ‘તો કહે કંઈ જ ઉપદ્રવ થતો નથી. નવ વર્ષથી આનંદથી અહીં રહું છું.” આ આશ્ચર્યકારક દૃશ્ય જોઈને અમે આગળ ચાલ્યા. ત્યાંથી ગોવિંદઘાટ આઠ કિલોમીટર દૂર હતું. એક બાજુ, તદન ઊભો પહાડ, બીજી બાજુ અત્યંત ઊંડી ખીણ, વનસ્પતિની ઘનઘોર ઘટા, સાંકડી સડક, ઊંચે ઊંચે ચડતા જવાનું. એમ કરતાં કરતાં ધીમે ધીમે ચાલતાં ગોવિંદઘાટ પહોંચ્યા. ગોવિંદઘાટ સડક ઉપર જ છે. ત્યાંથી ૧૯ કીલોમીટર દૂર હેમકુંડ છે. ત્યાંથી લક્ષ્મણ ગંગા વહે છે અને તે અલકનંદામાં મળે છે. આવતા રસ્તામાં જ આ સંગમ અમે જોયો હતો. દીલ્હીમાં ચાંદની ચોકમાં કિનારીબજારના જૈન ઉપાશ્રયમાં ઈલેકટ્રીક ફિટીંગનું કામ કરતા અમારા પરિચિત શીખ સરદારજી ८४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128