Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 99
________________ પત્ર - ૨૩ વંદના. વરસાદ બંધ રહ્યો એટલે આઠ-સાડા આઠ લગભગ પાંડુકેશ્વરથી દશ કીલોમીટર દૂર હનુમાનચટ્ટી જવા નીકળ્યા. ८८ Jain Education International હનુમાનચટ્ટી જેઠવિંદ ૨ વચમાં પાંચ કીલોમીટર ઉપર લાંમાઘાટ આવે છે. પહાડ ઉપરથી ઠામઠામ ઝરણાં આવે છે. ધોધમાર વહેતાં હોય છે. રસ્તામાં કેટલાય સ્થળે સડક ધોવાઈ ગઈ છે. લાંમાઘાટ પાસે એક સ્થળ લગભગ પોણો કીલોમીટર જેટલું લાંબું આવે છે. ત્યાં પહાડ ઉપરથી માટી, પથરા, શિલાઓ ધોવાઈને ધસીને આવે છે. For Private & Personal Use Only સરકારી માણસો ત્યાં પાવડા લઈને ઊભા જ હોય છે. માટી-પથરા વગેરે જે ધોવાઈને આવે તેને પાવડામાં લઈને ખીણ તરફ ફેંકતા હોય છે. અમે ત્યાંનું દશ્ય જોવા માટે જરાક ઊભા રહ્યા ત્યાં તો તરત અમને સૂચના કરી કે ચાલવા માંડો- ઊભા રહેશો નહિ. કયારે માટી કે પથરા ધસીને તમારા તરફ આવી પડે તેનો ભરોસો નહિ. ત્યાંથી આગળ ચાલ્યા પછી સડક તૂટી ગઈ છે, પાણીનો પ્રવાહ ધોધમાર આવે છે. ત્યાં ગોઠવેલા આડા-અવળા પથરા ઉપર પગ મૂકીને કેટલાયે પ્રવાહ ઓળંગતા હોય છે. પરંતુ આમાં જોખમ હોય છે. પત્થર ખસી જાય, પગ લપસી જાય તો પ્રવાહમાં જ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128