Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 103
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ વિશિષ્ટ અને પૂજ્યતમ છે. જેવો આપણે ત્યાં સિદ્ધગિરિ (પાલિતાણા)નો મહિમા છે તેવો એમને ત્યાં બદરીનાથનો મહિમા છે. જેવો આદીશ્વરદાદાનો તથા શેત્રુંજી નદીનો આપણે ત્યાં મહિમા છે, તેવો એમને બદરીનાથ ભગવાનની પ્રતિમાનો તથા અલકનંદા નદીનો મહિમા છે. યમુનોત્રી કે ગંગોત્રી કે જ્યાંથી ખરેખર યમુના તથા ગંગા નીકળે છે તે સ્થાન તો ત્યાંથી દૂર છે. રસ્તો ઘણો અઘરો હોવાથી તે સ્થાન સુધી પગે ચાલીને પહોંચનારા બહુ ઓછા હોય છે. કેદારનાથ પહોંચવા માટે સડક પૂરી થયા પછી લગભગ ૧૪ કિલોમીટર પગે ચાલીને અથવા ઘોડા કે ખચ્ચર ઉપર કેદારનાથ પહોંચવું પડે છે. આદિ શંકરાચાર્યે ત્યાં સમાધિ લીધી છે એમ કહે છે. - બદરીનાથ પહોંચતાં પ્રારંભમાં જ દેવદર્શની ગેટ આવે છે. પછી પ્રારંભમાં આપણી શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની ધર્મશાળા આવે છે. તે પછી લગભગ દોઢ-બે કીલોમીટર ચાલ્યા પછી અલકનંદા પસાર કરવા માટે પુલ આવે છે. વચમાં બસ સ્ટેન્ડ, જુદી જુદી હોટલો, અનેક આશ્રમો, ધર્મશાળાઓ, બજારની દુકાનો વગેરે આવે છે. અહીં સુધી વાહનો જઈ શકે છે. ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128