SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૪ વિશિષ્ટ અને પૂજ્યતમ છે. જેવો આપણે ત્યાં સિદ્ધગિરિ (પાલિતાણા)નો મહિમા છે તેવો એમને ત્યાં બદરીનાથનો મહિમા છે. જેવો આદીશ્વરદાદાનો તથા શેત્રુંજી નદીનો આપણે ત્યાં મહિમા છે, તેવો એમને બદરીનાથ ભગવાનની પ્રતિમાનો તથા અલકનંદા નદીનો મહિમા છે. યમુનોત્રી કે ગંગોત્રી કે જ્યાંથી ખરેખર યમુના તથા ગંગા નીકળે છે તે સ્થાન તો ત્યાંથી દૂર છે. રસ્તો ઘણો અઘરો હોવાથી તે સ્થાન સુધી પગે ચાલીને પહોંચનારા બહુ ઓછા હોય છે. કેદારનાથ પહોંચવા માટે સડક પૂરી થયા પછી લગભગ ૧૪ કિલોમીટર પગે ચાલીને અથવા ઘોડા કે ખચ્ચર ઉપર કેદારનાથ પહોંચવું પડે છે. આદિ શંકરાચાર્યે ત્યાં સમાધિ લીધી છે એમ કહે છે. - બદરીનાથ પહોંચતાં પ્રારંભમાં જ દેવદર્શની ગેટ આવે છે. પછી પ્રારંભમાં આપણી શ્રી આદિનાથ નિર્વાણ કલ્યાણક ટ્રસ્ટની ધર્મશાળા આવે છે. તે પછી લગભગ દોઢ-બે કીલોમીટર ચાલ્યા પછી અલકનંદા પસાર કરવા માટે પુલ આવે છે. વચમાં બસ સ્ટેન્ડ, જુદી જુદી હોટલો, અનેક આશ્રમો, ધર્મશાળાઓ, બજારની દુકાનો વગેરે આવે છે. અહીં સુધી વાહનો જઈ શકે છે. ૯૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy