________________
હિમાલયની પદ યાત્રા-૨૪
તો ધર્મશાળામાં જ રોકાયા. બદરીનાથનાં વિવિધ સ્થળો જોવાનું આગળ ઉપર રાખ્યું. કારણ કે ચાર મહિના અહીં હવે રહેવાનું જ હતું.
પાંડુકેશ્વરથી વિહારમાં નવીનભાઈ (ગોકુલ આઈસ્કીમવાળા) ગાંધી તથા જિતુ સંઘવી સાથે જ લગભગ હતા.
સ્કંદ પુરાણના કેદાર ખંડમાં ચાર ધામો અતિપવિત્ર વર્ણવેલા છે.
૧ યમુનોત્રી (જ્યાંથી યમુના નદી નીકળે છે), ર ગંગોત્રી (જ્યાંથી ગંગા નદી - ભાગીરથી નીકળે છે), ૩ કેદારનાથ (અહીંથી અલકનંદા નીકળે છે), તથા ૪ બદરીનાથ કે જ્યાં ભગવાન વિષ્ણુનો સદા વાસ છે, એમ માનવામાં આવે છે.
બીજા ભાગવત આદિ પુરાણોમાં પણ આનું ઘણું વર્ણન આવે છે.
કર્ણપ્રયાગથી સતપંથ સુધીનો બધો પ્રદેશ બદરિકાશ્રમ કહેવાય છે.
નામ ઉપરથી એમ લાગે છે કે પહેલાં અહીં બોરડીનાં વૃક્ષ વિપુલ પ્રમાણમાં હશે. તેમાં બદરીનાથનું જે સ્થાન છે તે સૌથી
૯૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only