Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 119
________________ હિમાલયની પદ યાત્રા-૨૫ આ બધો પ્રદેશ ગઢવાલના નામે ગઢવાલના પહાડી પ્રદેશોમાં આવી ઘણી વાતો પ્રચલિત છે. ઓળખાય છે. આ ઘણી ચિત્ર-વિચિત્ર આ પ્રદેશમાં ઘણાં જ નાના-મોટાં તીર્થો છે. અને ભારતમાંથી લાખો માણસો દ૨ વર્ષે આવે છે. સડક થવાથી લોકોને ઘણી સરળતા થઈ ગઈ છે. જ્યાં સડક નથી ત્યાં ખચ્ચરો કે ઘોડા ઉપર કે કંડી (કરંડીયા)માં માણસની પીઠ ઉપર બેસીને પણ માણસો જાય છે. શ્રધ્ધા એક અજબ-ગજબની ચીજ છે. અહીં કોઈ સાધુ-સાધ્વી પગે ચાલીને આવવાનો વિચાર કરે તો તેમને કંઈક ઉપયોગી થઈ શકે તેમજ આ પ્રદેશની કેટલીક ઐતિહાસિક આદિ વાતો તેમને જાણવા મળે એમ સમજીને કેટલીક પ્રાસંગિક વાતો પણ લખી છે. એક વાત ખાસ ખ્યાલમાં રાખવાની છે કે જેમની સ્થૂલ કાયા હોય કે નિર્બળ હોય તેમનું અહીં કામ જ નથી. કારણ કે રસ્તામાં એટલા બધા ચડાવ છે કે હાંફી જ જવાય. ઉપરાંત, ડોળીમાાં કે વ્હીલચેરમાં વિહાર કરનારનું પણ આમાં કામ જ નથી. કારણ કે એક બાજુ પહાડ, બીજી બાજુ ભયંકર ખીણ અને વચમાં સાંકડી સડક એટલે અકસ્માત્ થતાં જરાપણ વાર લાગે નહિ. જોશીમઠ પછી તો ત્યાંથી નીકળેલી મોટર બદરીનાથ પહોંચ્યાના સમાચાર પોલીસને મળે તે પછી જ બીજી મોટરો બદરીનાથથી રવાના થાય, એવી બધી સરકારી ટાઈમ-ટેબલની ગોઠવણી પ્રમાણે ૧૦૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128