SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - ૨૩ વંદના. વરસાદ બંધ રહ્યો એટલે આઠ-સાડા આઠ લગભગ પાંડુકેશ્વરથી દશ કીલોમીટર દૂર હનુમાનચટ્ટી જવા નીકળ્યા. ८८ Jain Education International હનુમાનચટ્ટી જેઠવિંદ ૨ વચમાં પાંચ કીલોમીટર ઉપર લાંમાઘાટ આવે છે. પહાડ ઉપરથી ઠામઠામ ઝરણાં આવે છે. ધોધમાર વહેતાં હોય છે. રસ્તામાં કેટલાય સ્થળે સડક ધોવાઈ ગઈ છે. લાંમાઘાટ પાસે એક સ્થળ લગભગ પોણો કીલોમીટર જેટલું લાંબું આવે છે. ત્યાં પહાડ ઉપરથી માટી, પથરા, શિલાઓ ધોવાઈને ધસીને આવે છે. For Private & Personal Use Only સરકારી માણસો ત્યાં પાવડા લઈને ઊભા જ હોય છે. માટી-પથરા વગેરે જે ધોવાઈને આવે તેને પાવડામાં લઈને ખીણ તરફ ફેંકતા હોય છે. અમે ત્યાંનું દશ્ય જોવા માટે જરાક ઊભા રહ્યા ત્યાં તો તરત અમને સૂચના કરી કે ચાલવા માંડો- ઊભા રહેશો નહિ. કયારે માટી કે પથરા ધસીને તમારા તરફ આવી પડે તેનો ભરોસો નહિ. ત્યાંથી આગળ ચાલ્યા પછી સડક તૂટી ગઈ છે, પાણીનો પ્રવાહ ધોધમાર આવે છે. ત્યાં ગોઠવેલા આડા-અવળા પથરા ઉપર પગ મૂકીને કેટલાયે પ્રવાહ ઓળંગતા હોય છે. પરંતુ આમાં જોખમ હોય છે. પત્થર ખસી જાય, પગ લપસી જાય તો પ્રવાહમાં જ www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy