SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૩ પડવાનું થાય. પથરામાં પડવાથી કયાં કેટલું વાગે તેનું શું કહેવાય? હું પથરા ઉપર પગ મૂકીને ચાલ્યો. સમતુલા ગઈ. ધડ દઈને પડ્યો. બધાં કપડાં પાણીથી તરબોળ થઈ ગયાં. સામાન્ય જ વાગ્યે ભગવાનની કૃપાથી. પણ બોધપાઠ મળ્યો કે આવા સ્થળે પાણીમાં ચાલવું. પણ પથરા ઠેકવાનું સાહસ કરવું નહિ. હનુમાનચટ્ટીએ છેવટે પહોંચ્યા. પોલીસની બરાકની પરસાળમાં રહ્યા. સતત વરસાદ ચાલુ રહ્યો. વાછટ વગેરેના ઉપદ્રવો તો રહે. ઠંડી પણ સખત વાય. આવા પ્રસંગે જે સૂઝે તે રસ્તા કરવા જ પડે. ત્યાં હનુમાનનું મંદિર છે. એક લોકકથા કહે છે કે ભીમ વગેરે સ્વર્ગે જવા માટે હિમાલય ઉપર સ્વર્ગારોહણ નામની ટુંક તરફ જતા હતા ત્યારે ભીમનું અભિમાન ઉતારવા હનુમાનજી આવીને રસ્તાની પડખે બેઠા હતા. પૂંછડું રસ્તા ઉપર હતું. ભીમે કહ્યું કે “બંદર હટ જા. પુચ્છ ખેંચ લે.” હનુમાને કહ્યું કે “મેં બુઢા બંદર હું. મેં હીલ નહિ સકતા. આપ હી મેરે પુચ્છ કો ઉઠાકર બાજુ મેં રખ દીજીએ.” ભીમે પોતાની સંપૂર્ણ શક્તિ કામે લગાડી, પણ પૂંછડીને ઉપાડી શક્યો નહિ. પછી ભીમને થયું કે આ સામાન્ય વાંદરો નથી. પણ રામભક્ત હનુમાનજી છે. પછી ક્ષમા માગી. ભીમનો ઘમંડ ઊતરી ગયો. આ કારણે આ સ્થળ હનુમાન ચટ્ટી કહેવાય છે. ત્યાં હનુમાનનું મંદિર અને મૂર્તિ છે. ૮૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy