________________
હિમાલયની પદ યાત્રા-૨૨
સાધર્મિક ભક્તિ-કારસેવા શીખોમાં વ્યાપક છે.
હેમકુંડથી ચીનની સરહદ સાત કિલોમીટર જ લગભગ દૂર છે. ત્યાં ઠંડી સખત હોય છે. મોટા ભાગે હેમકુંડ બરફથી છવાઈ જાય છે. ત્રણ-ચાર મહિના જ આ સ્થાન બરફથી મુક્ત હોય છે. એટલે આ સમય દરમ્યાન મોટી સંખ્યામાં શીખો યાત્રાર્થે આવે છે. એમાંથી કેટલાય શીખો બદરીનાથની યાત્રાએ પણ આવે છે.
સડક ઉપર તો હોટલો જ હતી. ઊતરવાની જગ્યા હતી જ નહિ. ખૂબ ખૂબ નીચે ઊતરીએ તો કદાચ ઊતરવાની જગ્યા મળે પણ પાછું એટલું ચડવું પડે.
એટલે બીજા બે કિલોમીટર ચાલી પાંડુકેશ્વર આવ્યા. અહીં પ્રાથમિક તથા માધ્યમિક વિદ્યાલય છે. ત્યાં ઊતર્યા. મકાનો જર્જરિત હતાં. ઘણો ઘણો વર્ષાદ પડ્યો.
| ઋતુ અહીં અનિયમિત. એટલે જ્યારે પણ વર્ષાદ બંધ લાગે ત્યારે બાંધ ગઠડિયાં કરવાનું અને પછી ગમે તે યોગ્ય સ્થાને છોડ ગઠડિયાં કરવાનું.
અહીં પાંડુરાજા રહેતા હતા. પાંચ પાંડવોનો જન્મ અહીં થયેલો હતો. પાંડવોને ભણવાની મોટી મોટી પથ્થરની પાટીઓ પહેલાં હતી.
અહીં ઘંટાકર્ણનું મંદિર જોયું. ઘંટાકર્ણ આ પ્રદેશના ક્ષેત્રપાલ છે. એ અંગેની કથા હવે પછી લખાશે.
૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org