SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨ ૨ કોઈ અગિયાર હજાર લખાવે. કોઈ અગિયાર લાખ પણ લખાવે. બધું ભક્તની ઈચ્છા ઉપર જ આધાર રાખે છે.’ ગોવિંદધામથી છ કીલોમીટર દૂર હેમકુંડ છે. લગભગ સાડા પંદર હજાર ફૂટની ઊંચાઈએ છે. ત્યાં હવા બહુ જ પાતળી હોય છે. એટલે ત્યાં કોઈને રાત રહેવા દેવામાં આવતા નથી. હેમકુંડમાં જઈને સ્નાન કરવાનું. ગુરુ ગ્રંથ સાહેબને નમસ્કાર કરવાના. પછી તરત ઊતરી જવાનું. ગોવિંદધામમાં જ આવીને રહેવાનું અને સૂઈ જવાનું. ગોવિંદઘાટ સડક ઉપર જ છે. સડક ઉપર તો હોટલો જ છે. સડકથી અર્ધો કીલોમીટર લગભગ નીચે ઊતર્યા પછી જ ગોવિંદઘાટની મોટી મોટી અનેક ધર્મશાળાઓ, હોટલો તથા ગુરુદ્વારા વગેરે છે. સડક ઉપરથી દૂર દૂર બધું દેખાય છે. દરેક શીખોના ગુરુદ્વારમાં લંગર (ભોજનાલય) ચાલતાં હોય છે. લંગરમાં દાળ-રોટી તથા ચાવલ (ભાત) બધાને મફત આપવામાં આવતા હોય છે. કોઈ ભક્તિથી મિષ્ટાન્ન-ખીર આદિ મોકલે તો તે પણ અપાતાં હોય છે. જમ્યા પછી જે થાળી એઠી હોય તેને સાફ કરવા માટે પડાપડી થતી હોય છે. એને કારસેવા (ક૨સેવા) કહેવામાં આવે છે. આવી કારસેવા માટે ધનવાન-નિર્ધન બધા જ લાભ લેવા માટે ઊભા હોય છે. રસોઈ વગેરે કારસેવા માટે લક્ષાધિપતિ-ક્રોડાધિપતિ શીખોની સ્ત્રીઓ પણ હોંશેહોંશે લાભ લેવા આવે છે. આ પ્રકારની ૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy