Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 37
________________ હિમાલયની પદ યાત્રા-૬ હતા. બદરીનાથમાં જ્યારે બરફથી બધુ ઢંકાઈ જાય ત્યારે પણ બાર-બાર મહિના સુધી બરફવાળા પ્રદેશમાં કોઈ ગુફા કે સ્થાનમાં મૌન રહીને આ સંન્યાસી સાધના કરતા હતા. એમને રૂબરૂ મળીને શું સાધના કરતા હતા, ખાવા-પીવા આદિનું શું કરતા હતા વગેરે ઘણી ઘણી વાતો એમની પાસેથી જાણવી હતી, પરંતુ અમે આવ્યા એના આગલા દિવસે જ એ જમ્મુ-કાશ્મીર ગયા છે. હમણાં ચારપાંચ મહિના આવવાના પણ નથી. એમનો અહીં ઘણો પ્રભાવ છે. તેમના પ્રભાવથી જ આ આશ્રમ છેલ્લા દશ-પંદર વર્ષમાં જ ઊભો થયો છે. તેમના અનેક ભક્તો છે. મૌન અવસ્થામાં જ આ આશ્રમ ઊભો થયો છે. જે સૂચના કરવી હોય તે લખીને જ કરતા હતા. આ આશ્રમમાં તેમને રહેવાનું સ્થાન છે તે પણ એક ગુફા જેવું જ છે. અત્યારે પણ જ્યારે અહીં હોય ત્યારે આ ગુફા જેવા સ્થાનમાં રહે છે. અત્યારે એમના શિષ્ય કહો કે સાથીદાર કહો સત્યાનંદજી છે. તદ્દન શાંત અને સેવાભાવી છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128