SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૬ હતા. બદરીનાથમાં જ્યારે બરફથી બધુ ઢંકાઈ જાય ત્યારે પણ બાર-બાર મહિના સુધી બરફવાળા પ્રદેશમાં કોઈ ગુફા કે સ્થાનમાં મૌન રહીને આ સંન્યાસી સાધના કરતા હતા. એમને રૂબરૂ મળીને શું સાધના કરતા હતા, ખાવા-પીવા આદિનું શું કરતા હતા વગેરે ઘણી ઘણી વાતો એમની પાસેથી જાણવી હતી, પરંતુ અમે આવ્યા એના આગલા દિવસે જ એ જમ્મુ-કાશ્મીર ગયા છે. હમણાં ચારપાંચ મહિના આવવાના પણ નથી. એમનો અહીં ઘણો પ્રભાવ છે. તેમના પ્રભાવથી જ આ આશ્રમ છેલ્લા દશ-પંદર વર્ષમાં જ ઊભો થયો છે. તેમના અનેક ભક્તો છે. મૌન અવસ્થામાં જ આ આશ્રમ ઊભો થયો છે. જે સૂચના કરવી હોય તે લખીને જ કરતા હતા. આ આશ્રમમાં તેમને રહેવાનું સ્થાન છે તે પણ એક ગુફા જેવું જ છે. અત્યારે પણ જ્યારે અહીં હોય ત્યારે આ ગુફા જેવા સ્થાનમાં રહે છે. અત્યારે એમના શિષ્ય કહો કે સાથીદાર કહો સત્યાનંદજી છે. તદ્દન શાંત અને સેવાભાવી છે. ૨૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy