SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર - Jain Education International 6 શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વિદ ૧૩ વંદના, સાધ્વીજી એમના ગુરુશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજની સ્વર્ગવાસતિથિ નિમિત્તે પ્રતિમાસ છઠ્ઠ કરે છે, એટલે તથા બધા થાક્યા હોવાથી પણ અહીં રોકાઈ ગયા. અત્યારે જે સંન્યાસી સત્યાનંદજી આ સંસ્થા ચલાવે છે, તેમના અંગે આજે જ ખબર પડી. તેમની ઉંમર લગભગ ૩૨ વર્ષની છે. સવારમાં એકાદ કલાક હોમ-હવન આદિ વિધિ કરીને નીચે અલકનંદાના કિનારે ચાલ્યા જાય છે. ત્યાં શિલા ઉપર બેસીને પાંચેક કલાક ધ્યાન-જપ આદિ કરે છે. અકલનંદાના કિનારા ઉપર રહેલી આ શિલા પાસે જવું ઘણું અઘરું છે. શિલાથી થોડે ઉપર એક ઓરડી જેવી ગુફા છે. એમાં સત્યાનંદજી સૂઈ જાય છે. ઉપર આવે ત્યારે કોઈને કલ્પના પણ ન આવે કે આ કોઈ મહાન સાધક છે, મૂક સાધક છે. For Private & Personal Use Only અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઊતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા. સખત ગરમી, છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને ' आयावयंति गिम्हेसु हेमंतेसु अवाउडा ' ૨૭ www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy