SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૭ આ દશવૈકાલિકની ગાથા અમને યાદ આવી. પાંચેક કલાક સાધના કરીને ઉપર આવીને એક વખત એ આહાર લઈ લે છે. પછી તે ફલાહાર હોય કે અન્નાહાર હોય. શિલા ઉપરની ગુફા જેવી ઓરડીમાં એકવીસ એકવીસ દિવસ સુધી બેસીને ઉપવાસ કરીને પણ સાધના કરે છે. આ સંન્યાસી થોડા સમય પૂર્વે મુજફરનગર ગયા ત્યારે નવરાત્રિમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને, હરવાનું નહિ, ફરવાનું નહિ, સૂવાનું નહિ, એક જ આસને બેસીને તેમણે સાધના કરી હતી, આ વાત સાંભળીને અમને આપણા પૂર્વના મહાપુરુષો પાદપોપગમન અનશન કરતા હતા એ વાતનું સ્મરણ થઈ આવ્યું. બપોર પછી સંન્યાસી સત્યાનંદજીને મળવા અમે ગયા હતા. તેમની સાથે ઘણી વાતો થઈ. અત્યંત નમ્ર છે. હું કંઈ જ જાણતો નથી. સહજભાવે બધું થાય છે, દેહભાન જ ભૂલાઈ જાય છે' વગેરે વાતો કરી. પોતે સંચાલક તથા જબરજસ્ત સાધક હોવા છતાં આખા રસ્તામાં અને ચોકમાં મોટું ઝાડુ લઈને બધું જાતે જ સાફ કરે છે. ઝાડુ કાઢવાનું કામ અત્યંત તુચ્છ છે એવો ભાવ જ એમના મનમાં નથી. કામ એટલે કામ. ગમે તે કામ કરાય. २८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy