________________
હિમાલયની પદ યાત્રા-૭
- એકમુખી મહાદેવની આસપાસ ઘાસ ઊગેલું હતું. ઉપર સર્પ લટકતા હતા. એવા સ્થાને અદ્વૈતાનંદજીએ મોટું મંદિર ઊભું કર્યું છે. આધ્યાત્મિક સાધક તરીકે એમની ખૂબ પ્રસિદ્ધિ છે. મૌન, ધ્યાન, તિતિક્ષા, બરફમાં અડધું શરીર ઢંકાઈ જાય છતાં ખ્યાલ ન રહે એટલે સુધી દેહનું વિસ્મરણ વગેરે ઘણી વાતો સાંભળવા મળી.
મિથ્યાજ્ઞાન, વિષયો, કષાયો આ સંસારનો પાયો છે. સમ્યગૃજ્ઞાન થયા પછી પણ વિષય-કષાયના જંગલમાંથી છૂટવું ભલભલા સાધકને માટે અતિદુષ્કર હોય છે. એટલા માટે સાધકો આવા પર્વતો આદિમાં સાધના કરતા હતા.
અમે જોયું કે અહીં પહાડ, પાણી અને વનસ્પતિ જ સર્વત્ર છે. અહીં વિષય-કષાયનો ચેપ લાગવાનો અવકાશ જ ભાગ્યે છે. જો આવા સ્થાનમાં રુચિ લાગે તો આત્મચિંતન અને પરમાત્મસ્મરણમાં ખૂબ સહેલાઈથી ડૂબી જવાય એવો ભાસ થયો.
| ગુજરાત-રાજસ્થાન-મધ્યપ્રદેશ-મહારાષ્ટ્ર-પંજાબ આદિ પ્રદેશોમાં આપણા શ્રાવકોનાં ઘરો તથા દેરાસર-ઉપાશ્રય વગેરે ગામની વચમાં જ હોય. ત્યાં જ આપણે સદા રહેવાનું. એટલે સતત લોકસંપર્કમાં જ રહેવાનું. | વિક્રમ સંવત ૧૯૯૫માં અમે ભરૂચ પાસે સિનોરમાં ચોમાસું કર્યું હતું. નર્મદા નદીના તદન કિનારે જ દેરાસર તથા
- ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org