________________
હિમાલયની પદ યાત્રા-૭
ઉપાશ્રય હતા. તે પછી નદીકિનારે રહેવાનો જિંદગીમાં ક્યારે ય પ્રસંગ આવ્યો નથી.
અહીં તો ગંગા નદીના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. રહેવાનાં સ્થાનો પણ તદ્દન નદીકિનારે જ હોય છે. તદન એકાંત હોય છે. એટલે આવાં સ્થાનોની સાધનામાં કેવી અત્યંત સહાયકતા હોય છે તેનો આપણને ખ્યાલ જ આવવો મુશ્કેલ છે. અહીં તો આવાં એક-એકથી ચડે તેવાં સ્થાનો પથરાયેલાં છે.
અહીં લોકો કોઈ હોતા જ નથી, એટલે લોકાભિમુખતાનો પ્રશ્ન જ નથી. આત્માભિમુખ, પરમાત્માભિમુખ, તથા શાસ્ત્રાભિમુખ થઈએ તો જ આવાં સ્થાનોમાં રહેવામાં આનંદ આવે.
આવાં સ્થાનો સાધનામાં અત્યંત સહાયક થાય છે, તેથી અહીં સાધકો જ સાધકો ચારે બાજુ હશે એવું માનવાની કોઈ જ જરૂર નથી.
કલિયુગનો આ પ્રભાવ છે કે સાચા સાધક મળવા અત્યંત મુશ્કેલ હોય છે. સંસારમાં સર્વત્ર અર્થ-કામનું જ પ્રાધાન્ય છે. સંન્યાસીઓમાં પણ સાચા સાધકો બહુ વિરલ હોય છે. હરિદ્વારઋષિકેશમાં હજારો સંન્યાસીઓ ઠામ-ઠામ છે. આ બાજુ આવે અમને લગભગ બાર મહિના થઈ ગયા. પણ ખરેખરા સાધક કહેવાય એવા સત્યાનંદજીને જ પહેલીવાર જોયા. બીજા પણ હશે. પણ આવા ભાગ્યે જ પ્રકાશમાં-જાહેરમાં આવે છે. બાકી તો સર્વત્ર
૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org