SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૭ ઉપાશ્રય હતા. તે પછી નદીકિનારે રહેવાનો જિંદગીમાં ક્યારે ય પ્રસંગ આવ્યો નથી. અહીં તો ગંગા નદીના કિનારે કિનારે જ વિહાર ચાલે છે. રહેવાનાં સ્થાનો પણ તદ્દન નદીકિનારે જ હોય છે. તદન એકાંત હોય છે. એટલે આવાં સ્થાનોની સાધનામાં કેવી અત્યંત સહાયકતા હોય છે તેનો આપણને ખ્યાલ જ આવવો મુશ્કેલ છે. અહીં તો આવાં એક-એકથી ચડે તેવાં સ્થાનો પથરાયેલાં છે. અહીં લોકો કોઈ હોતા જ નથી, એટલે લોકાભિમુખતાનો પ્રશ્ન જ નથી. આત્માભિમુખ, પરમાત્માભિમુખ, તથા શાસ્ત્રાભિમુખ થઈએ તો જ આવાં સ્થાનોમાં રહેવામાં આનંદ આવે. આવાં સ્થાનો સાધનામાં અત્યંત સહાયક થાય છે, તેથી અહીં સાધકો જ સાધકો ચારે બાજુ હશે એવું માનવાની કોઈ જ જરૂર નથી. કલિયુગનો આ પ્રભાવ છે કે સાચા સાધક મળવા અત્યંત મુશ્કેલ હોય છે. સંસારમાં સર્વત્ર અર્થ-કામનું જ પ્રાધાન્ય છે. સંન્યાસીઓમાં પણ સાચા સાધકો બહુ વિરલ હોય છે. હરિદ્વારઋષિકેશમાં હજારો સંન્યાસીઓ ઠામ-ઠામ છે. આ બાજુ આવે અમને લગભગ બાર મહિના થઈ ગયા. પણ ખરેખરા સાધક કહેવાય એવા સત્યાનંદજીને જ પહેલીવાર જોયા. બીજા પણ હશે. પણ આવા ભાગ્યે જ પ્રકાશમાં-જાહેરમાં આવે છે. બાકી તો સર્વત્ર ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy