________________
હિમાલયની પદ યાત્રા-૭
વેષ અને વિધિ-અનુષ્ઠાનોનું જ પ્રાધાન્ય જોવા મળે છે.
અહીં યાત્રા માટે પણ હજારો-લાખો આવતા હોય છે. પણ એમાંયે પર્યટન, ગતાનુગતિકતા, તથા કુળના સંસ્કારોની જ મુખ્યતા હોય છે. આપણે ત્યાં કે બીજે, આરાધનાની-ઉપાસનાની જ મુખ્યતા જેમના જીવનમાં હોય એવા માણસો થોડા હોય છે.
સંન્યાસીઓ રસોડાઓમાં જમતા હોય, ફળાદિનો આહાર કરતા હોય, દિવસ-રાત ગમે ત્યારે ખાવા-પીવાની એમને છૂટ હોય એટલે એમને આવાં સ્થાનોમાં જિંદગી સુધી રહેવામાં કોઈ બાધા ન આવે.
આપણું તો ભિક્ષા ઉપર જીવન, એટલે વસ્તી સાથે જ આપણે રહી શકીએ. આ બધી હકીકતો અને પરિસ્થિતિ છે. છતાં અંતર્મુખ થવાનો આપણો સંકલ્પ પાકો જ હોય તો આપણા વિહારક્ષેત્રમાં પણ આવાં એકાંત શાંત સ્થાનો જરૂર મળી રહે.
એક નમસ્કાર મહામંત્રમાં તથા ગુરુચરણમાં પણ જો આપણે બરાબર દઢતાથી સંપૂર્ણ સમાઈ જઈએ તો આપણને હિમાલયની ગુફા તેમાં મળી જાય તેમ છે.
Jain Education International
D
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org