Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 38
________________ પત્ર - Jain Education International 6 શાશ્વતધામ, લછમૌલિ વૈશાખ વિદ ૧૩ વંદના, સાધ્વીજી એમના ગુરુશ્રી સૂર્યપ્રભાશ્રીજી મહારાજની સ્વર્ગવાસતિથિ નિમિત્તે પ્રતિમાસ છઠ્ઠ કરે છે, એટલે તથા બધા થાક્યા હોવાથી પણ અહીં રોકાઈ ગયા. અત્યારે જે સંન્યાસી સત્યાનંદજી આ સંસ્થા ચલાવે છે, તેમના અંગે આજે જ ખબર પડી. તેમની ઉંમર લગભગ ૩૨ વર્ષની છે. સવારમાં એકાદ કલાક હોમ-હવન આદિ વિધિ કરીને નીચે અલકનંદાના કિનારે ચાલ્યા જાય છે. ત્યાં શિલા ઉપર બેસીને પાંચેક કલાક ધ્યાન-જપ આદિ કરે છે. અકલનંદાના કિનારા ઉપર રહેલી આ શિલા પાસે જવું ઘણું અઘરું છે. શિલાથી થોડે ઉપર એક ઓરડી જેવી ગુફા છે. એમાં સત્યાનંદજી સૂઈ જાય છે. ઉપર આવે ત્યારે કોઈને કલ્પના પણ ન આવે કે આ કોઈ મહાન સાધક છે, મૂક સાધક છે. For Private & Personal Use Only અલકનંદાના કિનારે જ્યાં એ સાધના કરવા બેઠા હતા ત્યાં અમે ખૂબ ખૂબ નીચે ઊતરીને ગયા. ઘણો અગવડવાળો રસ્તો. બપોરના બાર વાગેલા હતા. સખત ગરમી, છતાં એ ખુલ્લા શરીરે બેસીને સાધના કરતા હતા. આ જોઈને ' आयावयंति गिम्हेसु हेमंतेसु अवाउडा ' ૨૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128