Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 7
________________ જીવન જીવવાનો નિર્ણય કર્યા પછી પણ ગુરુષારતન્યના અભાવે દીક્ષા પારમાર્થિરૂપે પરિણામ પામતી નથી. અને તેથી ન તો શ્રેયની પ્રાપ્તિ થાય છે, તેમ જ ન તો અશિવ-સંસારનો ઉચ્છેદ થાય છે. ૨૮-૧૨ા. જ્ઞાનીને જ અથવા તો જ્ઞાનીની નિશ્રામાં જ રહેનારને ચોક્કસપણે દીક્ષા હોય છે, તેનું કારણ સમજાવવા દૃષ્ટાન્ત દ્વારા દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. एकः स्यादिह चक्षुष्मानन्यस्तदनुवृत्तिमान् । પ્રસ્તુતો યુવાપર્ પ્રામં અાવ્યું હતું . ૨૮-રા શ્લોકનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. ગત્તવ્ય (ઈષ્ટ સ્થાન) એવા ગામમાં એક ચક્ષુવાળો (દેખતો) અને બીજો તેને અનુસરનારો એવો અન્ય-એમ બંને જણા એ કારણે એકી સાથે પહોચે છે, તેમ અહીં જ્ઞાની અને તેમને અનુસરનારો અજ્ઞાની એવો જ્ઞાનિનિશ્રાવાળો-એમ બંને આત્માઓ ગન્તવ્ય એવા મોક્ષમાં એક સાથે પહોંચે છે. જ્ઞાની પહેલાં અને તેમની નિશ્રામાં રહેનારા પછી મોક્ષે જાય-આવો કોઈ નિયમ નથી. ગ્રન્થકારપરમર્ષિએ સુપ્રસિદ્ધ દૃષ્ટાન્તથી અહીં જ્ઞાની અને તેમની નિશ્રાને પામેલા આત્માઓની ઈષ્ટસ્થાને (મોક્ષ) પહોંચવાની યોગ્યતા એકસરખા સ્વરૂપે વર્ણવી છે. દૃષ્ટાન્તનો વિચાર કરીએ તો દીક્ષાની યોગ્યતા કેટલી વિકસાવવાની આવશ્યકતા છે-એ સમજાયા વિના નહીં રહે. આંખે દેખતા, ઈષ્ટ સ્થાને પહોંચે એ તો સમજી શકાય છે. પરન્તુ તેમને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74