Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 18
________________ શ્રી ષોડશક પ્રકરણની ઉપર જણાવેલી વિગતને અનુલક્ષી સંસારના સુખ માટે ધર્મ કરાય'-આવી પોતાની માન્યતાનું કેટલાક વિવેચકોએ સમર્થન કર્યું છે. પરંતુ ઉપર જણાવેલી વાત ઉપરથી સમજી શકાશે કે અહીં એવી કોઈ જ સંસારના સુખની વાત નથી. કીર્તિ, આરોગ્ય, વ્રતની સ્થિરતા અને સત્પદની પ્રાપ્તિ શિષ્યને થાય એવી ભાવનાથી નામાદિનો ન્યાસ પૂ. ભવનિસ્તારક ગુરુદેવ કરતા હોય છે. કીર્તિ, આરોગ્ય વગેરેને સંસારના સુખ રૂપે જોવાની પ્રવૃત્તિ ખરેખર જ વિકૃત છે. ભવનિસ્તારને કરનારી દીક્ષા સંબંધી નામાદિન્યાસ ભવનિસ્તારનાં જ અંગ છે, ભવનાં અંગ નથી... આ બધી વાત સામાન્યથી “શ્રી જિનશાસનની મોસૈકલક્ષિતા આ પુસ્તિકામાં જણાવી છે. અને “શ્રી ષોડશક એક પરિશીલન' આ પુસ્તકમાં જણાવીશ એટલે એ વિષયમાં અહીં જણાવ્યું નથી. જિજ્ઞાસુઓએ તે તે પુસ્તકો વાંચી લેવાં જોઈએ... ૨૮-પા ' હવે દીક્ષાનું સ્વરૂપ જણાવાય છે. આ પૂર્વે દીક્ષા’ શબ્દને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવ્યું હતું, હવે દીક્ષાનું જે કાર્ય છે તેને આશ્રયી દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છેइहादौ वचनक्षान्तिधर्मक्षान्तिरनन्तरम् । . अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसंगकम् ॥२८-६॥ શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. “દીક્ષામાં શરૂઆતમાં વચનક્ષમાં હોય છે અને પછી ધર્મક્ષમા હોય છે. તેમ જ અધ્યયન, વૈયાવચ્ચ વગેરે સ્વરૂપ અનુષ્ઠાનો સ્વરૂપ અનુષ્ઠાનોમાં પ્રથમ

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74