Book Title: Diksha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 65
________________ માને તે શુભપયોગની જેમ શુદ્ધોપયોગમાં પણ મુખ્યસ્વરૂપે કારણતા નહિ મનાય. જોકે ઉપર જણાવેલી વાતથી, શુભોપયોગ અને શુદ્ધોપયોગને મોક્ષની પ્રત્યે કારણ માનીએ તોપણ બંન્નેમાં રહેલી કારણતામાં થોડો ફરક છે-એ સમજી શકાય છે. શુભ ઉપયોગથી જ્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે, ત્યારે શુદ્ધોપયોગ અને સર્વસંવરભાવ દ્વારા થાય છે તેમ જ શુદ્ધોપયોગથી જ્યારે મોક્ષની પ્રાપ્તિ થાય છે ત્યારે સર્વસંવરભાવ દ્વારા થાય છે. આ રીતે બે વ્યવધાન (દ્વારા) અને એક વ્યવધાન-આ રીતે ફરક વર્તાય છે. તેથી બંન્નેમાં સાધારણ રીતે મુખ્યસ્વરૂપે મોક્ષની કારણતા માનવાનું શક્ય નથી. પરંતુ આ રીતે જે માત્ર શુદ્ધોપયોગમાં જ મોક્ષની કારણતા મનાય તો માત્ર અંતિમક્ષણે જ એવી કારણતા પ્રાપ્ત થશે, તે પ્રવૃત્યુપયોગી (મોક્ષમાર્ગમાં પ્રવર્તાવવા માટે ઉપયોગી) નહિ બને. તેથી પ્રવૃત્યુપયોગી એવી મોક્ષની કારણતા શુભઉપયોગમાં પણ માનવી જોઈએ. તે તે ગુણસ્થાનકોચિત ગુણના વિષયમાં જે શુભ ઉપયોગ છે, તેને ઉચિતગુણવૃત્તિસ્વરૂપે મોક્ષની પ્રત્યે કારણ માનવાનું ન્યાય(યુતિ)સંગત છે.. ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૨૮-૨૬ો પ્રવૃત્યુપયોગી મોક્ષકારણતા શુભ-ઉપયોગમાં મનાય છેએનું પરિભાવન કરાય છેअध्यात्मादिकयोगानां ध्यानेनोपक्षयो यदि । हन्त वृत्तिक्षयेण स्यात्तदा तस्याप्युपक्षयः ॥२८-२७॥

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74