Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 168
________________ ધર્મચક્રવર્તીનું નામ યાવચંદ્રદિવાકરૌ રહેવાનું છે, એ ભગવાન ઋષભદેવના પવિત્ર નામ સાથે આ શેલના નામને જોડું છું. આજથી એ વૃષભ-કૂટ કહેવાશે.' ‘જય હો પ્રભુ ઋષભધ્વજનો !' ચારે તરફથી જયનાદ ઊઠ્યો. થોડી વાર બધા એ શૈલને માનભરી રીતે નિહાળતા ઊભા રહ્યા. ફરી ભરતદેવનો જયનાદ કર્યો. ભરતદેવને એ ન રુચ્યો હોય તેમ લાગ્યું. થોડી વારે ચક્રવર્તીમંડળ પાછું ફર્યું. વાટમાં અધવચ્ચે રોકાઈ ગયેલા રાહ જોતા જ બેઠા હતા. એમણે રાજમંડળને જોતાં જ લલકાર્યું : જય હો ! આ પર્વતફૂટ પર સર્વપ્રથમ પાદપદ્મ અંકિત કરનાર મહારાજ ભરતદેવનો જય હો !' ‘અરે ! પૂર્વ દિશા જ જેમ સૂર્યને પ્રગટાવી શકે છે, એમ ભરત ચક્રવર્તી જ આ ગગનચુંબી શૈલને પાવન કરી શકે છે; બીજા નહિ !’ બીજા પ્રશંસકે કહ્યું. આજે આ પહેલો દિવસ છે ને આ છેલ્લી ઘડી છે, જ્યારે આ શૈલને માનવસ્પર્શ સાંપડ્યો છે !' આ પ્રશંસા ચક્રવર્તી – મંડળને હૈયે છાની ઝાળ જગાવી રહી. ભરતદેવે કહ્યું : ‘તમે જેને પ્રશંસા માનીને ઉચ્ચારો છો, એ ખરેખર તો મારી નિંદા છે !” એમ કેમ ?” પ્રશંસા કરનારા છોભીલા પડ્યા. મરણાધીન માણસને અમર કહેવો, પામરને શ્રેષ્ઠ કહેવો, સામાન્યને અસામાન્ય કહેવો એ શું શોભાસ્પદ છે ? કામ કર્યાનો ગર્વ નિરર્થક છે, કામ થયાનો સંતોષ એ જ માનવ માટે ઉત્તમ છે.’ એ સહુને સેનાપતિ જયકુમારે સાચી સ્થિતિ સમજાવી. આ પછી નીચે ઊતરતાં સુધી કોઈ કંઈ બોલ્યું નહિ, છતાં સહુના અંતર તો આપોઆપ બોલતાં હતાં. પર્વત ચડતાં જે મસ્તકો ગર્વોન્નત હતાં, એ પર્વત ઊતરતાં વિનમ્ર બન્યાં હતાં ! Jain Education International ગર્વ કિયો સોઈ નર હાર્યો. * ૧૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234