Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 200
________________ નમિરાજ તુચ્છકારથી હસી રહ્યા. એમણે કહ્યું : “પહેલાં સ્ત્રી ને પુરુષ એકસાથે ખભેખભો મિલાવી મેદાનમાં ખડાં થતાં. બંને સરખી શક્તિથી યુદ્ધમાં, વિનોદમાં, વિહારમાં, શિકારમાં ભાગ લેતાં. પણ હમણાં હમણાં જોયું છે કે, સ્ત્રીઓ કમજોર ને લાગણીવેડાવાળી બનતી જાય છે. હવે પેટની દીકરીનો પણ ભરોસો ન રાખી શકાય, એવો વખત આવી રહ્યો છે !' “અવશ્ય. કારણ કે તમારી પુરુષસૃષ્ટિમાં સ્પર્ધા જાગી છે, ભેદ જાગ્યો છે, સ્વાર્થ મોટો બન્યો છે. ઈર્ષ્યા તમારી ચિરસંગિની બની છે. સ્ત્રીની સૃષ્ટિમાં પ્રેમ છે, આત્મા છે, અભેદ છે. પુરુષ ધીરે ધીરે પોતાની મહત્ત્વાકાંક્ષાનું કેન્દ્ર પોતે બનતો ચાલ્યો છે. એ પોતાની મહત્ત્વાકાંક્ષા માટે સંહાર, કc, યુદ્ધ અને ગમે તેવા ભયંકર વિનાશથી પણ પાછો હઠવા તૈયાર નથી. સ્ત્રીની મહત્ત્વાકાંક્ષા પ્રેમની છે, અભેદની છે. એનું કેન્દ્ર પ્રેમ છે. એ પ્રેમવૃક્ષને વીંટાનારી વેલી છે,' સુભદ્રા સહેજ આવેશમાં આવી ગઈ હતી. એટલામાં વિનમિરાજે પ્રવેશ કર્યો. એમના મુખ પર અસામંજસ્ય હતું. એમણે કહ્યું : “હવે તો ભરત પોતે યુદ્ધમાં આવે છે. કદાચ એ એનું ચક્રરત્ન વાપરે !” એ ચક્રરત્ન વાપરે તો આપણું વિદ્યાચક્ર ક્યાં દૂર છે ? એમાં ભીતિ કેવી ? એનો ને આપણો વિનાશ સાથે સાથે; એનું કે આપણું એક માણસ જીવતું નહિ રહે, પછી નિરાંત થશે : ન દેખવું ન દાઝવું. ચાલો, જલદી મેદાન પર જઈ પહોંચીએ. પહેલો મારે એ કદી ન હારે.' નમિરાજના શબ્દોમાં આવેલ હતો. નમિ ને વિનમિ ઉતાવળા ઉતાવળા રણમેદાન તરફ ચાલ્યા ગયા. સુભદ્રાને છેલ્લા સમાચારે વ્યાકુળ કરી નાખી. એ ફરીથી અતીન્દ્રિય શક્તિની સાધનામાં બેસી ગઈ ! ખુદ ભરતદેવ યુદ્ધના મેદાન પર હાજર થયા. નમિરાજ ને વિનમિરાજ પણ મેદાને પડ્યા. એક તરફ ચક્રરત્ન સજ્જ થઈ રહ્યું. બીજી તરફ વિઘાચક્ર તૈયાર કરવામાં આવ્યું. બધે મોતના પડછાયા પથરાઈ રહ્યા, હાહાકાર પ્રવર્તી ગયો. આ વખતે પ્રજાએ પોકાર પાડ્યો : “અરે ! આ રાજાઓને શું સૂક્યું છે? અતીન્દ્રિય બળ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234