Book Title: Chakravarti Bharat
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 228
________________ નિર્ભયપણે વિચરી શકશે. અને પછી આપણે ઘડી એકના વિલંબ વિના અયોધ્યા પાછા ફરીશું.' , “કાલે જ ખંડપ્રપાતા તરફ પ્રયાણ કરો. ઘડીનો પણ વિલંબ હવે અસહ્ય છે.” “સ્વામીની ઇચ્છા મુજબ જ થશે, પોતાના સ્વામીનો સ્ત્રીરત્ન પ્રત્યેનો આ મોહ કલ્પી મહામંત્રી ખૂબ આનંદી રહ્યા.' તેઓએ સેનામાં પ્રગટ રીતે જાહેર કર્યું કે “ખંડપ્રપાતા ગુફાનાં દ્વાર ખોલીને સેના દડમજલ કૂચ કરતી અયોધ્યા તરફ રવાના થશે.” સેનાના આનંદને પણ કોઈ સીમા નહોતી. સહુ સોનેરી સ્વપ્નસૃષ્ટિમાં રાચી રહ્યા. ધન્ય નગર! ધન્ય વેળા ૨૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234