SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મચક્રવર્તીનું નામ યાવચંદ્રદિવાકરૌ રહેવાનું છે, એ ભગવાન ઋષભદેવના પવિત્ર નામ સાથે આ શેલના નામને જોડું છું. આજથી એ વૃષભ-કૂટ કહેવાશે.' ‘જય હો પ્રભુ ઋષભધ્વજનો !' ચારે તરફથી જયનાદ ઊઠ્યો. થોડી વાર બધા એ શૈલને માનભરી રીતે નિહાળતા ઊભા રહ્યા. ફરી ભરતદેવનો જયનાદ કર્યો. ભરતદેવને એ ન રુચ્યો હોય તેમ લાગ્યું. થોડી વારે ચક્રવર્તીમંડળ પાછું ફર્યું. વાટમાં અધવચ્ચે રોકાઈ ગયેલા રાહ જોતા જ બેઠા હતા. એમણે રાજમંડળને જોતાં જ લલકાર્યું : જય હો ! આ પર્વતફૂટ પર સર્વપ્રથમ પાદપદ્મ અંકિત કરનાર મહારાજ ભરતદેવનો જય હો !' ‘અરે ! પૂર્વ દિશા જ જેમ સૂર્યને પ્રગટાવી શકે છે, એમ ભરત ચક્રવર્તી જ આ ગગનચુંબી શૈલને પાવન કરી શકે છે; બીજા નહિ !’ બીજા પ્રશંસકે કહ્યું. આજે આ પહેલો દિવસ છે ને આ છેલ્લી ઘડી છે, જ્યારે આ શૈલને માનવસ્પર્શ સાંપડ્યો છે !' આ પ્રશંસા ચક્રવર્તી – મંડળને હૈયે છાની ઝાળ જગાવી રહી. ભરતદેવે કહ્યું : ‘તમે જેને પ્રશંસા માનીને ઉચ્ચારો છો, એ ખરેખર તો મારી નિંદા છે !” એમ કેમ ?” પ્રશંસા કરનારા છોભીલા પડ્યા. મરણાધીન માણસને અમર કહેવો, પામરને શ્રેષ્ઠ કહેવો, સામાન્યને અસામાન્ય કહેવો એ શું શોભાસ્પદ છે ? કામ કર્યાનો ગર્વ નિરર્થક છે, કામ થયાનો સંતોષ એ જ માનવ માટે ઉત્તમ છે.’ એ સહુને સેનાપતિ જયકુમારે સાચી સ્થિતિ સમજાવી. આ પછી નીચે ઊતરતાં સુધી કોઈ કંઈ બોલ્યું નહિ, છતાં સહુના અંતર તો આપોઆપ બોલતાં હતાં. પર્વત ચડતાં જે મસ્તકો ગર્વોન્નત હતાં, એ પર્વત ઊતરતાં વિનમ્ર બન્યાં હતાં ! Jain Education International ગર્વ કિયો સોઈ નર હાર્યો. * ૧૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004516
Book TitleChakravarti Bharat
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy