________________
A
શ્રીસૂરત મળે છે કરા ૧૦ છે, દેરાસર (ઘરદેરાસર) ૨૩૫, ભૂયરા ૩, પ્રતિમાં એકેકી ગર્તા ૩૭૮, પંચતીરથીની ૫, ચોવીસવટાની ૨૪, એકલમલ, પેટ, પાટલી, સિદ્ધચક, ગે મુખ સવે થઈને ૧૦૦૪૧ ઈ.” (જૂઓ પૃ. ૧૫).
ઉપાધ્યાય વિનયવિજયજીએ “સૂર્યપુર ચૈત્ય પરિપાટી” સં. ૧૯૮૯માં બનાવી છે. ઉપાધ્યાયજીએ આ પરિપાટી એકંદર ૧૪ કડિયામાં પૂરી કરી છે. જેમાંની પ્રથમની અગીયાર કડીઓમાં સૂરતનાં અગિઆર દેરાસરોનાં નામો આપ્યાં છે. પ્રત્યેક કડીમાં દેરાસરમાં બિરાજમાન મુખ્ય ભગવાનનું નામ–જેના નામથી દેરાસર પ્રસિદ્ધ હોય તે ભગવાનનું નામ–આપી સ્તુતિ કરી છે. તે ઉપરાન્ત મૂર્તિયોની સંખ્યા કે એવી બીજી બાબત કંઈ બતાવી નથી. બારમી અને તેરમી કડીમાં રનેર, વલસાડ, ગણદેવી, નવસારી અને હાંસોટમાં બિરાજમાન પ્રભુની સ્તુતિ કરી ૧૪મી કડીમાં પિતાનો પરિચય આપ્યો છે. જેમાં વિજયસિંહસૂરીના શિષ્ય કીર્તિવિજય અને તેમના શિષ્ય વિનયવિજયે આ કૃતિ કર્યાનું જણાવ્યું છે. આ ઉપાધ્યાયજીએ સૂરતનાં જે ૧૧ દેરાસરનાં નામે ગણાવ્યાં છે તે અનુક્રમે આ છે–૧ અષભદેવનું, ૨ શાતિનાથનું, ૩ ધર્મનાથનું, ૪પાર્શ્વનાથનું પ સંભવનાથનું
ધર્મનાથનું, ૭ અભિનંદનનું, ૮ પાર્શ્વનાથનું, કુંથુનાથનું, ૧અજિતનાથનું અને ૧૧ ચિંતામણિપાર્શ્વનાથનું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com