________________
મહાત્માઓને પ૨પરિણિત ઊભી થાય તેને ખસેડવી પડે, જ્યારે દાદાશ્રીની દશામાં પરપરિણતિ ઉત્પન્નેય ના થાય અને એમને એ હોય જ નહીં.
મૂર્તિ, ગુરુ, શાસ્ત્ર, ત્યાગનું અવલંબન છે ત્યાં સુધી પરપરિણતિ અને શુદ્ધાત્માનું અવલંબન એ પોતાનું સ્વરૂપ જ છે એટલે સ્વપરિણતિ છે.
દાદા ભગવાન એ દેહધારી એ.એમ.પટેલની મહીં પ્રગટ થયા તે છે, એ પોતાનું સ્વરૂપ જ છે. માટે દાદા ભગવાનનું અવલંબન એ સ્વપરિણતિ છે.
[૮.૪] સ્વપરિણામ-પરપરિણામ
જીવ માત્રને સ્વપરિણામ અને પ૨પરિણામ બે ધારા જુદી હોય જ પણ અજ્ઞાનદશાને લઈને એક જ માને છે. દીવો સળગતો હોય પણ આંધળાને માટે શું કામ લાગે ?
ક્રિયા મેં કરી ને ક્રિયાનું જ્ઞાન પણ હું જાણું છું, એવું અજ્ઞાની બે પરિણામ ભેગા કરી નાખે. તેથી બેભરમો સ્વાદ આવે. જ્યારે જ્ઞાની પુરુષ બે પરિણામમાં ના હોય, એક પરિણામમાં જ હોય. તેઓ જ્ઞાનક્રિયાના કર્તા હોય, અજ્ઞાનક્રિયાના કર્તા ના હોય.
જે પરિણામ ચંચળ અને વિનાશી તે પરપરિણામ છે અને જે અચળ ને અવિનાશી છે તે સ્વપરિણામ છે. પરને પોતાના માન્યા તેના દુ:ખો ભોગવ્યા.
તાવ આવ્યો તો ગમે નહીં, પણ ભોગવ્યે જ છૂટકો, કારણ કે તે પરપરિણામ છે. સારું ભોજન ગમે, સૂવાનું ગમે, જોવાનું ગમે તે બધા પરપરિણામ છે. પરપરિણામને ‘મેં કર્યું’ માન્યું, તેનાથી જગત ઊભું થયું છે.
કર્મ એ પુદ્ગલ સ્વભાવના, એ પરપરિણામ છે અને આપણે પોતે શુદ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પ૨પરિણામ શેય સ્વરૂપે છે, પોતે જ્ઞાતા સ્વરૂપે છે.
એક ક્રિયાની ધારા છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધારા છે, જે બન્ને ધારા જ્ઞાનીમાં છૂટી વર્તે.
46