________________
(૮.૩) મહાત્માઓની સ્વપરિણતિ
૨૦૯
આ પુદ્ગલની જે ક્રિયા છે, જે વ્યવસ્થિત કરે છે તે “હું કરું છું એવું ભાન ઉત્પન્ન ના થવું જોઈએ. એ વ્યવસ્થિત કરે છે. એ વ્યવસ્થિત પરિણામ છે, એને ભગવાને પરપરિણામ' કહ્યા.
હું શુદ્ધાત્મા, ચંદુ નહીં. ચંદુના જે પરિણામ તે પોતાના ના માને એ, એ વ્યવસ્થિતના માને. વ્યવસ્થિત કરે છે ને હું જોઉં ને જાણું છું, એનાથી આપણી સ્વપરિણતિ.
આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે અને પોતાનો કર્તાભાવ ના રહે, એટલે સ્વપરિણતિ. અને કર્તાભાવ ઉત્પન્ન થાય, કોઈ પણ જાતની ક્રિયા, પોતે હું કરું છું” એવું માને તો એ પરપરિણતિ કહેવાય. અને (હવે“નથી કરતો, કોણ કરે છે એ સમજી ગયો. “હું નથી કરતો” એવો ભાવ આવે
ક્યારે, કે “કોણ કરે છે' એ સમજી જાય ત્યારે. હવે તમે નથી કરતા એ વાત નક્કી છે ને ?
પ્રશ્નકર્તા: એ તો સિદ્ધ થઈ ગયું, દાદા. દાદાશ્રી : એ સ્વપરિણતિ કહેવાય.
તું તારી જાતને “હું શુદ્ધાત્મા છું' એવું ભૂલી જઈને બોલું કે “આ મેં કર્યું તો પરપરિણતિ કહેવાય અને તું “શુદ્ધાત્મા છું' એમ જાણીને કહું કે “ચંદુએ કર્યું એ જ સ્વપરિણતિ કહેવાય. એને જેમ છે એમ બોલવું એનું નામ સ્વપરિણતિ અને નથી એનું આરોપણ કરવું એ પરપરિણતિ.
- હવે તમે શુદ્ધાત્મા છો એ સ્વપરિણતિ કહેવાય અને પરપરિણતિ તમને રહેશે, એ તો વ્યવસ્થિતને તાબે થઈ. એ પરપરિણતિ જુદી જ છે. પોતે કર્તા તો પરપરિણતિ, વ્યવસ્થિત કર્તા તો સ્વપરિણતિ
એટલે “આ વ્યવસ્થિત કર્તા છે” એનું ભાન રહેવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે પરિણામ શુદ્ધ થયા કહેવાય. દાદાશ્રી : હં, એ પરિણામ શુદ્ધ જ રહેવાના, એ શુદ્ધ જ પરિણતિ