________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે.
૩૫૮
‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.’ ‘હું અનંત જ્ઞાનવાળો છું' દસ-દસ વખત બોલે, ‘અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,' એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં !
પ્રશ્નકર્તા ઃ સિદ્ધ સ્તુતિ !
દાદાશ્રી : : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ?
આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ?
પ્રશ્નકર્તા : આપણા બાપની જ !
દાદાશ્રી : કોઈનો ભાગ નહીં ? બાપનો હશેને ભાગ ?
પ્રશ્નકર્તા : સહેજેય નહીં.
દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરૂં બહુ, નહીં ? આમાં કંઈ અઘરું છે ?
પ્રશ્નકર્તા : અઘરું તો નથી, દાદા.
દાદાશ્રી : ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે.
પ્રશ્નકર્તા : આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે ? ગુણો સમજીને બોલવું પડે ?