Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 439
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) અને આત્માના જે ગુણધર્મો છે ને એ જે બોલે છે ને, એને સિદ્ધ સ્તુતિ કહે છે. એ ગાયા કરે તો ઘણું કામ કાઢી નાખે. ૩૫૮ ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું.’ ‘હું અનંત જ્ઞાનવાળો છું' દસ-દસ વખત બોલે, ‘અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું,' એવું દસ-દસ વખત બોલે, ક્યાં જઈને પહોંચે ! કેટલો બધો ઉપયોગ થાય ! અને એ તદન શુદ્ધ ઉપયોગ ! સિદ્ધ સ્તુતિ કહી, હોં ! પ્રશ્નકર્તા ઃ સિદ્ધ સ્તુતિ ! દાદાશ્રી : : હા, સિદ્ધ સ્તુતિ. અહીંયા આગળ આ દુનિયા ઉપર સિદ્ધ સ્તુતિ કહી. કોઈ દહાડો બોલેલો કે ? કોઈ દહાડોય નહીં ? આ સિદ્ધ સ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરી છે આમાં કંઈ ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ? કંઈ બીજાનો ભાગ છે મહીં ? પ્રશ્નકર્તા : આપણા બાપની જ ! દાદાશ્રી : કોઈનો ભાગ નહીં ? બાપનો હશેને ભાગ ? પ્રશ્નકર્તા : સહેજેય નહીં. દાદાશ્રી : તું કહું છું ને આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરૂં બહુ, નહીં ? આમાં કંઈ અઘરું છે ? પ્રશ્નકર્તા : અઘરું તો નથી, દાદા. દાદાશ્રી : ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએને તો બધું સવળું થઈ જાય એવું છે. પ્રશ્નકર્તા : આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે ? ગુણો સમજીને બોલવું પડે ?

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500