Book Title: Aptavani Shreni 14 Part 04
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 433
________________ ૩૫૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) મતિ મૂંઝાય ત્યારે બોલવું, “હું અનંત જ્ઞાતવાળો છું પ્રશ્નકર્તા: કંઈ પણ, પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે સમજણ પડતી ન હોય, જ્યારે મતિ મૂંઝાવે વ્યવહારે, ક્યાંક એવો વ્યવહારિક પ્રસંગ આવી પડે અને સમજણ ન પડે ત્યારે હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું જોરજોરથી બોલે એટલે બધા પરમાણુ નીકળે. એકદમ સૂઝ પડવા માંડે, તરત જ, તે વખતે. દાદાશ્રી : આવરણ આવ્યું હોય, તે ઊડી જાય બધું. પ્રશ્નકર્તા ઃ બધા વાદળા હટતા જાય. દાદાશ્રી : પોતાના ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે એ. “અનંત જ્ઞાનવાળો છું,” “અનંત દર્શનવાળો છું એવું પચ્ચીસપચાસ વખત બોલવું જોઈએ. રોજ એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. પછી આગળ શું કહે છે? વેદના વખતે બોલવું, “હું અનંત સુખનું ધામ છું' પ્રશ્નકર્તા: મન કે દેહની કંઈ વેદના થાય એ વખતે અસલ રીતે તો આમ નિશ્ચયથી નિર્વેદક. એટલે આત્મા નિર્વેદક છે, મન-શરીર વેદક છે. એને વેદના થાય. પણ એ વખતે હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું, હું અનંત સુખનું ધામ છું', જોરથી બોલો એટલે એ બધી વેદના હટી જાય. એનો જરાય ભાર ન લાગે. દાદાશ્રી : પૂઠિયું કાચું હોય ત્યાં સુધી વેદકતા આવવાની જ અને તે ખૂબ જ પ્રમાણમાં આવે ત્યારે આત્માના ગુણ યાદ કર્યો જ જવા તો વેદકતા નાશ થશે. દરેકને વેદક આવ્યા જ કરે. પણ આ અજ્ઞાનીઓને દેખાય નહીં, જ્ઞાનીઓને દેખાયા જ કરે. તે વખતે તમે હાલી ન જશો. એવી સ્થિતિમાં શુદ્ધાત્માનું સ્મરણ અને તેના ગુણોનું રટણ કરવું. એ પાંચ-પચ્ચીસ વખત બોલ્યા તો ચોખ્ખું થઈ જાય. આ તો વિજ્ઞાન છે. આપણે બધા પૂરેપૂરું વિજ્ઞાન હજુ સમજી લેતા નથી.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500