________________
૧૦૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : અને ગુરુ એટલે આ વાળ વધ્યા જ કરેને, આપણે કપાય કપાય કરીએ તોય ?
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ગુરુ થયા જ કરે ને ?
અને અગુરુ-લઘુ એટલે વધઘટ ના થાય, જાડો ના થાય, પાતળો ના થાય, ઊંચો ના થાય, નીચો ના થાય, વજનદાર ના થાય, હલકો ના થાય, જેમ છે તેમ સ્થિતિમાં રહે.
પ્રશ્નકર્તા ઃ બરોબર છે, આપણે જોઈએ છીએ એ બધી વસ્તુઓ ગુરુ-લઘુ જ હોય છે.
દાદાશ્રી : બધી ગુરૂ-લઘુ હોય. જેટલી જુઓને, એ બધી ગુરૂ-લઘુ હોય. આ જગતની બધી જ ચીજ ગુરુ-લવુવાળી છે.
જગતમાં જે કંઈ દેખાય છે તે ગુરુલઘુ છે. ગુરુલઘુ સ્વભાવવાળા છે. તેને જોનાર (બુદ્ધિ, અહંકાર) પણ ગુરુ-લઘુ સ્વભાવવાળો છે અને જે આત્મા છે તે અગુરુ-લઘુ સ્વભાવી છે.
હવે આ અગુરુ-લઘુ સ્વભાવ બધા જ તત્ત્વોને છે. છયે તત્ત્વો નિર્લેપ છે. બધા જ અવિચળ છે.
આત્મા એક્લો નહીં, છયે તત્ત્વો અગુરુલઘુ પ્રશ્નકર્તા ઃ દાદા, આ આત્મા અગુરૂ-લઘુ એમ કહ્યો પણ બીજી વસ્તુ અગુરુ-લઘુ કેમ હોઈ શકે, કંઈ પણ છે તે ? મગજમાં, બુદ્ધિમાં બેસાડી શકાય એવી વાત નથી આ. કાં તો લઘુ છે, કાં તો ગુરુ છે. કાં તો આ છે, કાં તો આ છે કંઈક તો છે ને ? કારણ કે અગુરુલઘુ એક આત્મા જ છે.
દાદાશ્રી : ના, આત્મા નહીં, છ એ છ તત્ત્વો બધા.
પ્રશ્નકર્તા: બેમાંથી એક હોય પણ આ તો અગુરુ-લઘુ, ગુરુય નહીં અને લઘુય નહીં, એટલે કેવું?