________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
દાદાશ્રી : હા, એટલે ખરી રીતે પર્યાય શેયાકાર થાય. આત્માના પર્યાય છે એ શેયાકાર રૂપે થઈને ઊભા રહે.
૨૬
જ્ઞાનના પર્યાય શેયાકાર થાય. જ્ઞાન પોતે જ્ઞાનાકાર રહે, પોતે શેયાકાર ના થાય.
પરિણમે જ્ઞેયાકારે, છતાંય ત બને જ્ઞેયરૂપ
પ્રશ્નકર્તા : પણ શેયાકાર તો આત્માના પર્યાય થઈ જાય છે ને ? કોઈ પણ પુદ્ગલમાં શેયાકાર થઈ જાય છે ને ?
દાદાશ્રી : પણ શેયાકાર થાય છે, તો શેયાકારને ને એને વાંધો શો ? સિનેમા જોવા ગયા તેમાં તમે જોનાર. સિનેમા જ્ઞેય, તમે જ્ઞાતા અને તમારું જ્ઞાન જ્ઞેયાકાર થાય. તમે જ્ઞાતા છો પણ તમારું જ્ઞાન જે છે તે જેવું સિનેમાનું જ્ઞેય છે ને, તેવો આકાર થઈ જાય છે. તે એ આકાર ત્યાં બંધ થયો કે પેલોય આકાર બંધ થયો. એટલે આને કંઈ બંધ કરવાની જરૂર નથી. આકાર ઉત્પન્ન થાય છે, તે જેવો દેખાય એવો આકાર થઈ જાય, જ્ઞેયાકાર થઈ જાય.
‘જ્ઞાન’ શેયાકારે પરિણમે પણ શેયરૂપે ના પરિણમે. ચોંટે ક્યારે કે ‘આ પરવળ સારા છે’ એમ બોલે કે ચોંટે ત્યાં અને બીજે બધે સામાન્યપણે રહે.
શેયોને જાણવામાં કોઈ જાતની હરકત નથી. આત્માને શેયો જોડે રાગ-દ્વેષથી બંધન છે અને વીતરાગતાથી છૂટો છે. ભલે દેહ હોય, મન હોય, વાણી હોય, પણ શેયોની મહીં આત્મા વીતરાગતાથી છૂટો છે.
શેયાકારે પરિણમવા છતાં ‘હું સંપૂર્ણ શુદ્ધ છું.’ (પણ બન્નેનો) સામીપ્ય ભાવ એટલો બધો છે કે શાદી થઈ જ જાય, છતાંય હું સંપૂર્ણ શુદ્ધ છું.
ચોટે જ્ઞેયમાં અશુદ્ધ ઉપયોગથી
બાકી જ્ઞેયો નડતા નથી.