________________
૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૪)
થાય. જુએ ને પછી મોટું બગડેને, તે નુકસાન કરે. કારણ કે વિશેષ કર્યું, સામાન્ય ભાવથી ના જોયું. રીંગણા સારા હોય તેને જોઈ તેમાં તન્મય થઈ જાય ને તેવા જ આકારનો થાય છે. જ્ઞયાકાર થાય છે તો ભગવાને કહ્યું કે, તું શેયાકાર થઈશ તોય તેનો વાંધો નથી પણ ફક્ત તું તે અવસ્થાને જાણ, તો તું છૂટ્યો. બધી જ વસ્તુ સામાન્યભાવે જોવી જોઈએ, વિશેષભાવે ના જોઈશ. વિશેષભાવે જોયું કે વળગ્યું જ છે.
ખાલી તમને શેયને જાણવાનો જ અધિકાર છે. પ્રશ્નકર્તા: એનો અર્થ કે સહજભાવ રહે તો એનો વાંધો નહીં ?
દાદાશ્રી : સહજભાવ જ બસ. દેહ જલેબી ખાય અને તમે તમારા સહજભાવમાં, તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો એ જ.
સર્વાગ સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધ પ્રશ્નકર્તા એ જે સંપૂર્ણ શુદ્ધ અને પછી સર્વાગ શુદ્ધ એ લખ્યું છે, એ શા માટે લખ્યું છે ?
દાદાશ્રી : લોકોને ખ્યાલમાં આવે કે બધી રીતે શુદ્ધ થઈ ગયેલો છે. એટલે આ સમજવા માટે લખેલું છે.
પ્રશ્નકર્તા ઃ એટલે આત્માના અંગો હોય છે તે સર્વાગ ?
દાદાશ્રી : અંગ ના હોય, આત્માના પ્રદેશો હોય. સર્વ પ્રદેશોથી શુદ્ધ હોય પણ પ્રદેશો ના સમજણ પડે એટલે સર્વાગ કહ્યું. સર્વાગ એટલે સંપૂર્ણ. સમજાઈ જાય માણસને. પ્રદેશો સમજણ ના પડે.
પ્રશ્નકર્તા: સંપૂર્ણ શુદ્ધ અને સર્વાગ શુદ્ધ એ બેમાં શું ફેર ?
દાદાશ્રી સંપૂર્ણ શુદ્ધ છું એટલે એઝેક્ટલી શુદ્ધ જ છું, એવું પાછા બધા અંગો સહિત, બધા અંગોએ કરીને શુદ્ધ છું, એવું વિગતવાર કહે છે. સર્વાગ એટલે બધા અંગોથી, અંગ-ઉપાંગ બધામાં શુદ્ધ છું. અશુદ્ધતા હવે કોઈ જગ્યાએ રહી નથી હવે. ખરેખર શુદ્ધ જ છું. કોઈ દહાડો અશુદ્ધિ મારામાં આવી જ નથી. સર્વાગ શુદ્ધ છે. બધા અંગે શુદ્ધ છું. હું સંપૂર્ણ