Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૮૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
નામ-ગોત્ર -અનાલિનલિનિર્થ હિત નાન, સીન્થથતુનોત્રનામનોત્રનિતિ અનાદિકાલથી સિદ્ધ અને અર્થ રહિત હોય, તે નામ અને અર્થ સહિત હોય તે ગોત્ર છે. નામ વસ્તુના ભાવ, ગુણને અનુરૂપ જ હોય તેવું જરૂરી નથી, પરંતુ ગોત્ર વસ્તુના અર્થ, ગુણને અનુરૂપ હોય છે. ગોત્ર વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. સાતે નરકના અનાદિ સિદ્ધ ઘમ્મા આદિ સાત નામ છે. આગમ ગ્રંથોમાં નરક પૃથ્વીઓ “ઘમ્મા” આદિ નામથી નહીં પણ રત્નપ્રભાદિ ગોત્રથી વિશેષ પ્રસિદ્ધ છે. તે ગોત્ર અન્વયાર્થ સહિત હોય છે જેમ કે–રત્નાન
મા-બાહુચંયત્રી રામા, રહિતિ ભાવ: રત્નોની જ્યાં વિપુલતા હોય તે રત્નપ્રભા છે. અહીં પ્રભાનો અર્થ વિપુલતા છે. રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ ૧૬, 000 યોજનના ખરકાંડમાં ૧૬ જાતિના રત્નો છે. આ રીતે ત્યાં રત્નોની પ્રચુરતા છે. શર્કરાપ્રભા પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે, વાલુકાપ્રભા પૃથ્વીમાં રેતીની પ્રધાનતા છે, પંકપ્રભા પૃથ્વીમાં કીચડની પ્રધાનતા છે, ધૂમપ્રભા પૃથ્વીમાં ધૂમાડાની પ્રધાનતા છે, તમ પ્રભા પૃથ્વીમાં અંધકારની વિપુલતા છે અને તમસ્તમપ્રભા પૃથ્વીમાં અત્યંત ગાઢ અંધકારની વિપુલતા છે. વિસ્તાર:- અધોલોકમાં એકની નીચે એક, આ રીતે ક્રમશઃ સાતે નરક પૃથ્વીઓ છે. તે સાતે પૃથ્વીઓની જાડાઈ કરતાં પહોળાઈ વધુ હોય, તેવી ખંજરીના આકારે છે. પ્રથમ નરક એક રજુ; બીજી નરક બે રજુ; તે રીતે ક્રમશઃ વધતાં-વધતાં સાતમી નરક પૃથ્વી સાત રજુ(અસંખ્ય યોજન)લાંબી-પહોળી છે. તેની ઊંચાઈ (જાડાઈ)નું જ કથન પ્રસ્તુત સૂત્રમાં સ્પષ્ટ કર્યું છે. નરક પૃથ્વીના નામ, ગોત્ર અને વિસ્તાર :પૃથ્વીઓ | નામ | ગોત્ર
જાડાઈ
લંબાઈ-પહોળાઈ પ્રથમ નરક પૃથ્વી | ઘમ્મા રત્નપ્રભા | એક લાખ એસી હજાર યોજના | એક રજુ બીજી નરક પુથ્વી | વંશા | શર્કરાપ્રભા | એક લાખ બત્રીસ હજાર યોજન | બે રજુ ત્રીજી નરક પૃથ્વી | શૈલા | વાલુકાપ્રભા | એક લાખ અઠ્ઠાવીસ હજાર યોજન | ત્રણ રજુ ચોથી નરક પૃથ્વી | અંજના | પંક પ્રભા | એક લાખ વીસ હજાર યોજના ચાર રજુ પાંચમી નરક પૃથ્વી | વિષ્ટા | ધૂમ પ્રભા | એક લાખ અઢાર હજાર યોજન | પાંચ રજુ છઠ્ઠી નરક પૃથ્વી મઘા | તમ:પ્રભા | એક લાખ સોળ હજાર યોજના છ રજુ સાતમી નરક પૃથ્વી | માઘવતી | | તમસ્તમ:પ્રભા | એક લાખ આઠ હજાર યોજન | સાત રજૂ નરક પૃથ્વીના વિભાગ:|६ इमाणं भंते ! रयणप्पभापुढवी कइविहा पण्णत्ता? गोयमा !तिविहा पण्णत्ता,तं जहा-खरकंडे, पंकबहुलकडे, आउबहुलकडे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના કેટલા પ્રકાર છે અર્થાતુ તેના કેટલા વિભાગ છે? ઉત્તર-હે ગૌતમ!રત્નપ્રભા પૃથ્વીના ત્રણ વિભાગ છે, જેમ કે– (૧) બરકાંડ(વિભાગ) (૨) પંકબહુલ કાંડ(વિભાગ) (૩) અબદુલ–પાણીની અધિકતાવાળો કાંડ (વિભાગ). | ७ इमीसेणंभंते !रयणप्पभापुढवीए खरकंडेकइविहे पण्णत्ते? गोयमा !सोलसविहे पण्णत्ते,तंजहा- रयणकंडे, वइरे, वेरुलिए, लोहियक्खे, मसारगल्ले, हंसगब्भे, पुलए સોધિ, ગોડલે, મંગળ, અગાપુના, રા, ગાયકવે, અરે, પતિ, રિટ્ટા