Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 781
________________ | સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧ ૭૦૭ ] અંતર – અનાદિ અનંત અને અનાદિ સાંત સવેદી જીવોનું અંતર નથી. સાદિ સાંત સવેદી જીવોનું અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત છે. યથા– સવેદક જીવ ઉપશમશ્રેણીમાં એક સમય રહે, ત્યાં તેનું મૃત્યુ થાય તો એક સમયમાં જ તે પુનઃ સવેદીપણાને પામે છે, તેથી જઘન્ય એક સમયનું અંતર થાય અને તે જીવ અંતર્મુહુર્ત પર્યત ઉપશમશ્રેણીમાં રહીને ત્યાર પછી તે શ્રેણીથી નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે તે અવશ્ય સંવેદી થાય તેથી વચ્ચેનો અવેદીપણાનો અંતમુહૂર્ત પ્રમાણકાલ તે સર્વદીપણાનું અંતર થાય છે. અવેદક જીવોમાં જે જીવ વેદનો ક્ષય કરી સાદિ અનંત સિદ્ધ અવસ્થાને પામે છે તેનું અંતર નથી. પરંતુ જેણે ઉપશમ શ્રેણીમાં વેદનો ઉપશમ કર્યો છે તેવા સાદિ સાંત જીવોનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. ઉપશમશ્રેણીથી પડિવાઈથયેલો જીવ સવેદી અવસ્થાને પ્રાપ્ત કરી પુનઃ અંતર્મુહૂર્તમાં જ ઉપશમ શ્રેણી કરી શકે છે, તે અપેક્ષાએ અવેદકપણાનું જઘન્ય અંતર ઘટિત થાય છે. ' ઉપશમ શ્રેણીથી નિવૃત્ત થયેલો જીવ જો અનંતસંસાર પરિભ્રમણ કર્યા પછી નવમા ગુણસ્થાને અવેદીપણાને પ્રાપ્ત કરે તે અપેક્ષાએ અવેદીનું અંતર અનંતકાલનું થાય છે, તે અનંતકાલ દેશોન અર્ધ પુદ્ગલપરાવર્તન પ્રમાણ છે. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અવેદક જીવો, તેનાથી સવેદક જીવો નિગોદની અપેક્ષાએ અનંતગુણા છે. સકષાયી-અકષાયી – જે જીવો ક્રોધાદિ કષાયયુક્ત હોય તે સકષાયી અને કષાય રહિત હોય તે અકષાયી છે. સકષાયી જીવોમાં એકથી દશ ગુણસ્થાન અને અકષાયી જીવોમાં ૧૧થી ૧૪ ગુણસ્થાનવર્તી જીવોનો તેમજ સિદ્ધોનો સમાવેશ થાય છે. તેનું કથન સવેદક-અવેદક જીવોની જેમ જાણવું. સર્વ જીવોના બે પ્રકારઃ સજ્ઞાની અને અજ્ઞાની આદિ| १८ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता- णाणी चेव अण्णाणी चेव। ભાવાર્થ - સર્વજીવોના બે પ્રકાર છે– જ્ઞાની અને અજ્ઞાની. | १९ णाणी णं भंते !णाणी त्तिकालओ केवचिरंहोइ ? गोयमा !णाणी दुविहे पण्णत्तेसाईए वा अपज्जवसिए, साईए वा सपज्जवसिए । तत्थ णंजेसेसाईए सपज्जवसिए से जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणंछावट्ठिसागरोवमाइंसाइरेगाई। अण्णाणीजहा सवेदया। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્!જ્ઞાની, જ્ઞાની રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાનીના બે પ્રકાર છે– સાદિ અપર્યવસિત અને સાદિ સપર્યવસિત. તેમાં જે સાદિ સપર્યવસિત છે તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ સુધી રહી શકે છે. અજ્ઞાનીનું કથન સદકની સમાન જાણવું. २० णाणिस्स अंतरंजहण्णेणं अंतोमुहत्तं, उक्कोसेणं अणतंकालं-अवडंपोग्गलपरियट्ट देसूणं । अण्णाणिस्सदोण्हवि आइल्लाणंणत्थि अंतर,साइयस्ससपज्जवसियस्सजहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं छावट्ठिसागरोवमाइं साइरेगाई। अप्पाबहुयं-सव्वत्थोवा णाणी, अण्णाणी अणंतगुणा। ભાવાર્થ-જ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ છે, તે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. પ્રારંભના બે ભંગવાળા અજ્ઞાની જીવો ક્રમશઃ અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત

Loading...

Page Navigation
1 ... 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860