Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૩
અનેદકમાં સાદિ અનંતને અંતર નથી. સાદિ સાંત અવેદકમાં જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર છે, કારણ કે અંતર્મુહૂર્ત પછી ફરીથી શ્રેણીનો પ્રારંભ સંભવિત છે. તેનું ઉત્કૃષ્ટ અંતર અનંતકાળ એટલે દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન પ્રમાણ છે. આટલા સમય પછી જેણે પહેલા શ્રેણી આરંભેલી હોય, તેવો જીવ ફરીથી શ્રેણીનો આરંભ અવશ્ય કરે છે અને શ્રેણીમાં તે જીવ અવેદક થાય છે.
૭૩૩
અલ્પબહ્ત્વ :– સર્વથી થોડા પુરુષવેદક છે, કારણ કે તે દેવ, મનુષ્ય અને તિર્યંચગતિમાં અલ્પ સંખ્યક હોય છે, તેનાથી સ્ત્રીવેદક સંખ્યાતગુણા છે કારણ કે તિર્યંચ ગતિમાં સ્ત્રીઓ પુરુષોથી ત્રણ ગુણી, મનુષ્યગતિમાં સત્તાવીસ ગુણી અને દેવ ગતિમાં બત્રીસ ગુણી અધિક હોય છે, તેનાથી અવેદક અનંતગુણા છે કારણ કે સિદ્ધ અનંત છે, તેનાથી નપુંસક વેદક અનંતગુણા છે કારણ કે વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગુણા છે. સર્વ જીવોના ચાર પ્રકાર : ચક્ષુદર્શની આદિ :
७
अहवा चडव्विहा सव्वजीवा पण्णत्ता, तं जहा- चक्खुदंसणी अचक्खुदंसणी ओहिदंसणी केवलदंसणी ।
ભાવાર્થ :– સર્વ જીવોના ચાર પ્રકાર છે– ચક્ષુ દર્શની, અચક્ષુ દર્શની, અવધિદર્શની અને કેવળદર્શની. ८ चक्खुदंसणी णं भंते ! चक्खुदसणी त्ति कालओ केवचिरं होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं सागरोवमसहस्सं साइरेगं ।
अचक्खुदसणी दुविहे पण्णत्ते - अणाइए वा अपज्जवसिए, अणाइए वा सपज्जवसिए। ओहिदंसणी जहण्णेणं एक्कं समयं उक्कोसेणं दो छावद्विसागरोवमाणं साइरेगाओ। केवलदसणी साइए अपज्जवसिए ।
ભાવાર્થ
:- પ્રશ્ન- હે ભગવન્ ! ચક્ષુદર્શની કેટલો સમય ચક્ષુદર્શની રૂપે રહે છે ?
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર સાગરોપમ સુધી રહે છે. અચક્ષુદર્શનીના બે પ્રકાર છે– અનાદિ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત. અવધિદર્શન જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક બે છાસઠ સાગરોપમ સુધી રહે છે. કેવલદર્શની સાદિ અપર્યવસિત છે.
९ चक्खुदंसणिस्स अंतरं जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सकालो। अचक्खु. दसणिस्स दुविहस्स णत्थि अंतरं । ओहिदसणिस्स जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण वणस्सइकालो । केवलदंसणिस्स णत्थि अंतरं ।
अप्पाबहुयं- सव्वत्थोवा ओहिदंसणी, चक्खुदंसणी असंखेज्जगुणा, केवलदंसणी अणंतगुणा, अचक्खुदंसणी अनंतगुणा ।
ભાવાર્થ:- ચક્ષુદર્શનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. બંને પ્રકારના અચક્ષુદર્શનીનું અંતર નથી. અવધિદર્શનનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. કેવળદર્શનીનું અંતર નથી. અલ્પબહુત્વ- સર્વથી થોડા અવધિદર્શની, તેનાથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા છે. તેનાથી કેવલદર્શની અનંતગુણા છે અને તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દર્શનની અપેક્ષાએ સર્વ જીવોના ચાર પ્રકાર કહ્યા છે. ચક્ષુદર્શનની કાયસ્થિતિ
ઃ– આંખ દ્વારા થતાં સામાન્ય બોધરૂપ દર્શનને ચક્ષુદર્શન કહે છે. ચૌરેન્દ્રિય