Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રતિપત્તિ-૫ .
s૫
અપર્યાપ્તા બંને પ્રકારના જીવો સમાવિષ્ટ થાય છે. તેથી અહીં અપર્યાપ્ત જીવોની મુખ્યતાએ તેઉકાયના જીવો અધિક થાય છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગુણા છે, કારણ કે બાદરા તેજસ્કાયિક તો માત્ર મનુષ્યક્ષેત્રમાં જ હોય છે, પરંતુ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિકોનું ક્ષેત્ર તેનાથી અસંખ્યાતગણું અધિક છે, તેઓ ત્રણે લોકમાં હોય છે. તે ક્ષેત્ર અસંખ્યાતગણું હોવાથી જીવો અસંખ્યાત ગુણા છે. (૪) તેનાથી બાદર નિગોદ(શરીર) અસંખ્યાતગુણા છે, તે અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા હોવાથી વધુ હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાયિક જીવો અસંખ્યાતગુણા છે કારણ કે આઠેય પૃથ્વીમાં તથા વિમાનો, ભવનો, પ્રટો, પર્વતો આદિમાં પૃથ્વીના જીવો હોય છે, (૬) તેનાથી બાદર અપ્લાયિક અસંખ્યાતગુણા છે કારણ કે પૃથ્વીથી જલક્ષેત્ર અધિક છે સમુદ્રની જલરાશિમાં અખાયિક જીવોની પ્રચુરતા છે. (૭) તેનાથી બાદર વાયુકાયિક અસંખ્યાતગુણા અધિક છે કારણ કે લોકમાં પોલાણ વધુ છે અને પોલાણમાં વાયુ હોય છે. (૮) તેનાથી બાદર વનસ્પતિકાયિક અનંતગુણા અધિક છે કારણ કે બાદર નિગોદ(શરીર)માં અનંત-અનંત વનસ્પતિકાયિક જીવો હોય છે. (૯) તેનાથી બાદર જીવો વિશેષાધિક છે કારણ કે ઉપરોક્ત પૃથ્વી આદિ બાદર સર્વ જીવોનો સમુચ્ચય બાદરમાં સમાવેશ થાય છે. (૨) બાદર અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વ પૂર્વવત્ જાણવું. (૨) સમુચ્ચય બાદર તથા બાદર અપર્યાપ્ત જીવોનું અલ્પબદુત્વઃક્રમ બાદરકાય પ્રમાણ
કારણ ૧ | ત્રસકાય
સર્વથી થોડા | ત્રસ જીવો પથ્વીકાયાદિ પાંચે સ્થાવરની અપેક્ષાએ થોડા છે. ૨ | બાદર તેઉકાય
અસંખ્યાતગુણા | એકેન્દ્રિય છે, પર્યાપ્ત અપર્યાપ્ત સર્વે સમાવિષ્ટ છે. ૩ | પ્રત્યેક શરીરીબાદર વનસ્પતિ અસંખ્યાતગુણા | બાદર તેઉકાયથી તેનું ક્ષેત્ર વધારે છે માટે અસંખ્યાત ગુણા છે. ૪ | બાદર નિગોદ
અસંખ્યાતગુણા | સ્વાભાવિકરૂપે નિગોદ શરીર વધુ હોય છે. ૫ | બાદર પૃથ્વીકાય અસંખ્યાતગુણા | આઠ પૃથ્વી, વિમાનો, ભવનો, પાથડાઓમાં હોય છે. ૬ | બાદર અપ્લાય
|અસંખ્યાતગુણા | સમુદ્ર આદિના કારણે પૃથ્વી કરતાં જલ વધુ છે. ૭ |બાદર વાયુકાય
અસંખ્યાતગુણા | પોલાણના ભાગમાં સર્વત્ર વાયુ હોય છે. ૮ |બાદર વનસ્પતિકાય અનંતગુણા | બાદર નિગોદ(સાધારણ શરીર)માં અનંત જીવો છે. ૯ | સમુચ્ચય બાદરા વિશેષાધિક | ત્રસાદિ સર્વ જીવો સમાવિષ્ટ થાય છે. (૩) બાદર પર્યાપ્ત જીવોનું અલ્પબહત્વઃ- (૧) સર્વથી થોડા બાદર તેજસ્કાય છે. બાદરઅગ્નિ મનુષ્ય ક્ષેત્રમાંજ છે(૨) તેનાથી બાદર ત્રસકાયિક પર્યાપ્તા અસંખ્યાત ગુણા છે. તે જીવોનું ક્ષેત્ર તેજસ્કાયિકો કરતાં વધુ છે. (૩) તેનાથી પ્રત્યેક શરીરી વનસ્પતિકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણો છે, કારણ કે ત્રસજીવો કરતાં વનસ્પતિનું ક્ષેત્ર વિસ્તૃત છે. (૪) તેનાથી બાદર નિગોદ પર્યાપ્તના(શરીર) અસંખ્યાતગુણા છે, કારણ કે તેઓ અત્યંત સૂક્ષ્મ અવગાહનાવાળા છે તથા જળાશયોમાં સર્વત્ર હોય છે. (૫) તેનાથી બાદર પૃથ્વીકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તેનું ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના સૂક્ષ્મ છે. () તેનાથી બાદર અપ્લાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તે ક્ષેત્ર વિસ્તૃત છે અને અવગાહના સૂક્ષ્મ છે. (૭) તેનાથી બાદર વાયુકાય પર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, કારણ કે તેનું ક્ષેત્ર વિસ્તૃત છે. તે લોકાંત સુધી હોય છે. (૮) તેનાથી બાદર વનસ્પતિ પર્યાપ્ત અનંતગુણા છે, એક બાદર નિગોદમાં(શરીરમાં) અનંતજીવો છે. (૯) તેનાથી સમુચ્ચય બાદર પર્યાપ્ત જીવો વિશેષાધિકછે, તેમાં પૂર્વોક્ત બધા પર્યાપ્ત જીવોનો સમાવેશ થાય છે.