Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૬૭૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
શરીરી બાદર વનસ્પતિકાય પર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૫) તેનાથી બાદર નિગોદ(શરીર) પર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૬,૭,૮) તેનાથી બાદર પૃથ્વી, અપુ, વાયુ પર્યાપ્ત ક્રમશઃ અસંખ્યાતગુણા છે, (૯) તેનાથી બાદર તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાત ગુણા છે, (૧૦થી ૧૪) તેનાથી પ્રત્યેકશરીરી બાદરવનસ્પતિ, બાદર નિગોદ(શરીર), બાદર પૃથ્વી, બાદર અપુ, બાદર વાયુના અપર્યાપ્તા ક્રમશઃ અસંખ્યાતગુણા છે. (૧૫) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૧૬,૧૭,૧૮) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપ, સૂક્ષ્મ વાયુ અપર્યાપ્તા ક્રમશઃ વિશેષાધિક છે. (૧૯) તેનાથી સૂક્ષ્મ તેજસ્કાય પર્યાપ્ત સંખ્યાતગુણા છે. (૨૦,૨૧,૨૨) તેનાથી સૂક્ષ્મ પૃથ્વી, સૂક્ષ્મ અપ, સૂક્ષ્મ વાયુ પર્યાપ્ત ક્રમશઃ વિશેષાધિક છે. (૨૩) તેનાથી સૂક્ષ્મ નિગોદ(શરીર) અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૨૪) તેનાથી સૂક્ષ્મ નિગોદ(શરીર) પર્યાપ્ત સંખ્યાતગુણા છે. (૨૫) તેનાથી બાદર વનસ્પતિકાય પર્યાપ્તા અનંતગુણા છે. (૨૬) તેનાથી બાદર પર્યાપ્તા વિશેષાધિક છે. (૨૭) તેનાથી બાદર વનસ્પતિકાયિક અપર્યાપ્ત અસંખ્યાતગુણા છે. (૨૮) તેનાથી બાદર અપર્યાપ્ત વિશેષાધિક છે. (૨૯) તેનાથી સમુચ્ચય બાદર જીવો વિશેષાધિક છે. (૩૯) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાય અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે. (૩૧) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા વિશેષાધિક છે. (૩ર) તેનાથી સૂક્ષ્મ વનસ્પતિકાય પર્યાપ્તા સંખ્યાતણા છે. (૩૩) તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. (૩૪) તેનાથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય સૂક્ષ્મ અને બાદર જીવોના સંયુક્ત અલ્પબદુત્વનું પાંચ પ્રકારે કથન છે. સૂક્ષ્મ જીવો– પાંચ સ્થાવરકાયના સૂક્ષ્મજીવો આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. તેની સાથે જ સૂત્રકારે સૂક્ષ્મ નિગોદ(શરીર)ની પણ ગણના કરી છે.સૂક્ષ્મ નિગોદ(શરીર) પણ આખા લોકમાં ભરેલા છે. જીવોના ભેદની અપેક્ષાએ પ૩ ભેદમાંથી સૂક્ષ્મ પાંચ સ્થાવરના પર્યાપ્તા અને અપર્યાપ્તા તે દશ ભેદ છે.
સૂક્ષ્મ જીવોમાં પર્યાપ્તા જીવો વધુ છે અને અપર્યાપ્તા જીવો ઓછા છે કારણ કે અપર્યાપ્તા જીવોથી પર્યાપ્તા જીવોની સ્થિતિ વધુ છે તેથી હંમેશાં સૂક્ષ્મ પર્યાપ્તા જીવો અધિક સંખ્યામાં મળે છે. બાદર છવો– જીવના પ૩ ભેદમાંથી સૂક્ષ્મના દશ ભેદસિવાયના પપ૩ ભેદ બાદર જીવો છે. બાદર જીવો લોકનાદેશભાગમાં જ હોય છે. બેઇન્દ્રિયાદિ સર્વત્રસજીવો બાદર જ હોય છે. તેમાં કેટલાય જીવોની અવગાહના મોટી હોય છે, તેથી બાદર જીવોની સંખ્યા સૂક્ષ્મની અપેક્ષાએ અલ્પ હોય છે. બાદર જીવોના પર્યાપ્તા-અપર્યાપ્તા, તે બંને પ્રકારના જીવોમાં પર્યાપ્તા જીવો ઓછા છે અને અપર્યાપ્તા જીવો અધિક હોય છે. સકાય:- સકાયમાં છએ કાયના પર્યાપ્તા-અપર્યાપ્તા, સૂક્ષ્મ બાદર, તે તમામ ભેદોનો સમાવેશ થઈ જાય છે. સમુચ્ચય અને અપર્યાપ્ત સૂયમ–બાદર જીવોનું અલ્પ બહુત્વઃકમી સૂમિ–બાદરકાય નું પ્રમાણ |
કારણ | બાદર ત્રસકાય
સર્વથી થોડા | પૃથ્વીકાયાદિથી ત્રસ જીવો અલ્પ છે. | બાદર તેઉકાય
અસંખ્યગુણા | ત્રસથી એકેન્દ્રિય અસંખ્યગુણા છે. ૩ | બાદર પ્રત્યેક વનસ્પતિ | અસંખ્યગુણા | તેઉકાય કરતાં ક્ષેત્ર વધુ છે. ૪ | બાદર નિગોદ(શરીર) અસંખ્યગુણા |નિગોદ શરીર અત્યંત સૂમ(નાના) હોય છે.
૧
|