Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૬૦૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
| १६ अच्चुयस्सणंदेविंदस्सतओपरिसाओपण्णत्ताओ। अभितरियाए परिसाएदेवाणं पणवीस सय, मज्झिमपरिसाए अड्डाइज्जा सया,बाहिरियपरिसाए पंचसया।
देवाणं ठिई- अभितरियाए एक्कवीसंसागरोवमाइं सत्त य पलिओवमाई, मज्झिमाए एक्कवीसंसागरोवमाई, छप्पलिओवमाई, बाहिरियाए एक्कवीसंसागरोवमाई पंच य पलिओवमाई ठिई पण्णत्ता। ભાવાર્થ :- દેવેન્દ્ર દેવરાજ અય્યતની ત્રણ પરિષદોમાંથી આવ્યંતર પરિષદમાં એકસો પચીસ દેવો, મધ્યમ પરિષદમાં અઢીસો દેવો અને બાહ્ય પરિષદમાં પાંચસો દેવો છે. આત્યંતર પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ એકવીસ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. | १७ कहि णं भंते ! हेछिमगेवेज्जगाणं देवाणं विमाणा पण्णत्ता? कहि णं भंते ! हेट्रिमगेवेज्जगा देवा परिवसंति? गोयमा !जहेव ठाणपदेतहेवः एवंमज्झिमगेवेज्जगा. उवरिमगेवेज्जगा,अणुत्तराय जावअहमिंदा णामते देवा पण्णत्ता समणाउसो ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અધસ્તન ગ્રેવૈયક દેવોના વિમાન ક્યાં છે ! હે ભગવન્! અધસ્તન ગ્રેવૈયક દેવો ક્યાં રહે છે? ઉત્તર- હે ગૌતમ! સ્થાનપદ અનુસાર જાણવું. આ જ રીતે મધ્યમ ગ્રેવેયક, ઉપરિતન ગ્રેવેયક અને અનુત્તર વિમાનના દેવોનું કથન કરવું યાવત્ હે આયુષ્યમાન શ્રમણ ! તે બધા અહમેન્દ્ર છે. ત્યાં કોઈ નાના-મોટાનો ભેદ નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં કલ્પોપન્નક- બાર દેવલોકના વિમાનોની સંખ્યા, ઇન્દ્રોની પરિષદ, તેના નામ, તેમાં દેવ-દેવીઓની સંખ્યા અને તેની સ્થિતિનું નિરૂપણ છે. પતિ- પરિષદ એટલે પરિવાર. દેવોના રાજા ઇન્દ્ર, તેની સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, પુરોહિત તુલ્ય ત્રાયસ્વિંશક દેવો, સીમાનું રક્ષણ કરનાર લોકપાલ દેવો અને ઇન્દ્રની મુખ્ય દેવીઓ અગ્રમહિષી કહેવાય છે. (૧) આત્યંતર પરિષદ– જે દેવ-દેવીઓ પ્રયોજન વશ અતિ સમ્માનપૂર્વક બોલાવવામાં આવે ત્યારે જ આવે છે અને જેઓની સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે તે દેવ-દેવીઓને આત્યંતર પરિષદ કહે છે. (૨) મધ્યમ પરિષદ- જે દેવ-દેવીઓ પ્રયોજનવશ બોલાવવામાં આવે ત્યારે અથવા બોલાવ્યા વિના પણ આવે, તેને મધ્યમ પરિષદ કહે છે. આ પરિષદમાં આવ્યંતર પરિષદમાં વિચારેલા કાર્ય પર વિસ્તૃત વિચારણા થાય છે. (૩) બાહ્ય પરિષદ- જે દેવ-દેવીઓ બોલાવ્યા વિના આવે, તેને બાહ્ય પરિષદ કહે છે. તેઓને પૂર્વોક્ત બંને પરિષદમાં નિર્ણિત થયેલા કાર્ય કરવાનો આદેશ આપવામાં આવે છે તે આદેશ અનુસાર તે દેવો કાર્ય કરે છે.
વિમાનિક દેવોના ઇન્દ્રોની તે ત્રણે પરિષદના નામ ક્રમશઃ સમિતા, ચંડા અને જાયા છે.