Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૯૬
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પવિત્ર-મેલરહિત અને સ્નિગ્ધ હોય છે. તેઓની બંને જંઘાઓ(પિંડી)- રોમરહિત, ગોળ, રમ્ય આકારવાળી (ક્રમથી ઉપર-ઉપર વધુ સ્થલ), અજઘન્ય એટલે ઉત્કૃષ્ટ, પ્રશંસનીય લક્ષણોથી યુક્ત અને સુભગ હોવાથી અકોણ, અધ્ય; અઘણ્ય હોય છે. અર્થાત્ જેમ બેડોળ અવયવ જોઈ કોઈને દ્વેષ જાગે, ધૃણા થાય. તેવા નહીં પરંતુ મનોહર હોય છે. તેઓના જનુમંડળ(ઢીંચણ) બંને ઘૂંટણ સુનિર્મિત-અત્યંત પ્રમાણોપેત, માંસલ અને તેના સાંધા દઢ સ્નાયુઓથી સારી રીતે બદ્ધ હોય છે. તેઓના બંને ઉરુ(સાથળ)- કેળના સ્તંભથી વધુ સુંદર સંસ્થાનવાળા, કોઈ પણ જાતના ઘા આદિના નિશાન વિનાના, સુકુમાર, મૃદુ, માંસલ, અવિરલ પરસ્પર અડીને રહેલા, સમતુલ્ય પ્રમાણવાળા, સક્ષમ, સુજાતવૃત્ત-શ્રેષ્ઠ ગોળાકારે, પુષ્ટ, અંતર રહિત હોય છે. તેઓની શ્રોણી– કટીનો અગ્રભાગ અક્ષત ધુતફલકની જેમ શ્રેષ્ઠ આકારયુક્ત, પ્રશસ્ત, વિસ્તીર્ણ, અતિશૂલ હોય છે. તેઓનો કટિ(કમ્મર)નો પૂર્વભાગ– વદન–મુખ કરતાં (૧ર અંગુલ પ્રમાણથી) દ્વિગુણિત અર્થાત્ ૨૪ અંગુલ પહોળો, માંસલ, સુબદ્ધ હોય છે. તેઓનું કટિરૂપ મધ્યાંગ- વજરત્ન જેવું મનોહર, સામુદ્રિક શાસ્ત્ર કથિત પ્રશસ્ત ગુણ-લક્ષણયુક્ત, વિકૃત ઉદરથી રહિત અર્થાત્ અલ્પ ઉદરવાળું, ત્રિવલીથી યુક્ત, કંઈક નમેલું હોય છે. તેની રોમરાજિ-જુ-સરળ, સમ-એક સરખી, સંહિત-પરસ્પર મળેલી, જાતિ-સ્વભાવથી પાતળી, કૃષ્ણ, સ્નિગ્ધ-સુંવાળી, આદેય- નેત્ર માટે સ્પૃહણીય લલિત-સુંદરતા યુક્ત, સુજાત, સુવિભક્તયોગ્ય વિભાગથી સંપન્ન, કાંત-કમનીય, શોભાયમાન, અતિમનોહર હોય છે. તેઓની નાભિ- ગંગા નદીના વમળની જેમ ગોળ, દક્ષિણાવર્ત તરંગની જેમ ગોળ, ઉદય પામતા સૂર્યના કિરણોથી વિકસિત થતાં કમળ સમાન ગૂઢ અને ગંભીર હોય છે. તેઓના ઉદરનો વામ-ડાબો ભાગ– અનુક્રૂટ-અસ્પષ્ટ, બહાર ન દેખાય તેવો પ્રશસ્ત, પીન-સ્થૂલ હોય છે. તેઓના બંને પાર્શ્વ- પડખા ક્રમશઃ સાંકડા, સંગત-દેહ પ્રમાણને અનુરૂપ, સુંદર રીતે સુજાત-નિષ્પન્ન થયેલા, ઉચિત પ્રમાણમાં પૂલ, જોનારાને આનંદપ્રદ, મનોહર હોય છે. તેઓની દેહયષ્ટિ–સાંઠી અકરંડુક-માંસલ હોવાથી હાડકા ન દેખાય તેવી, સુવર્ણ જેવી કાંતિથી યુક્ત, નિર્મળસ્વાભાવિક અને ઉપરથી લાગતા મેલથી રહિત, સુજાત- દોષ રહિતપણે ઉત્પન્ન, નિરુપહત- જ્વરાદિ રોગ તેમજ દેશાદિ ઉપદ્રવોથી રહિત હોય છે. તેઓના સ્તન– સુવર્ણ કળશની જેમ મનોહર, એક સરખા, પરસ્પર મળેલા, સુંદર અગ્રભાગથી યુક્ત, સમશ્રેણીમાં યુગ્મરૂપે ગોળાકાર, ઉભારયુક્ત, શૂળ, આનંદદાયક અને માંસલ હોય છે. તેઓની બંને ભજાઓ– બાહ, સર્પની જેમ ક્રમશઃ નીચેની તરફ પાતળી, ગોપુચ્છની જેમ ગોળાકાર, અવિરલ- એક સરખી, આદેય અને મનોહર હોય છે. તેઓના હાથના નખ- તામ્રવર્ણી હોય છે, અગ્રસ્ત માંસલ હોય છે. હાથની આંગળીઓ- પુષ્ટ, કોમળ અને ઉત્તમ હોય છે. તેઓની હસ્તરેખાઓ- સ્નિગ્ધચળકતી હોય છે. તેમની હથેળીમાં સુવિભક્ત, સુસ્પષ્ટ, સુનિર્મિત સૂર્ય, ચંદ્ર, શંખ, ચક્ર અને સ્વસ્તિકના રેખા ચિહ્નો હોય છે. તેઓનો કાભાગ–બગલ, વક્ષસ્થળ, ગુલપ્રદેશ પુષ્ટ, ઉન્નત અને પ્રશંસ્ય હોય છે. તેઓનું ગળું અને કંઠપ્રદેશ– પરિપુષ્ટ, સુંદર હોય છે. તેઓની ગ્રીવા– ડોક, ઉત્તમ શંખ સદેશ ત્રણ રેખાયુક્ત, ચાર અંગુલ પ્રમાણવાળી હોય છે. તેમની હડપચી- માંસલ, ઉચિત આકારવાળી અને પ્રમાણોપેત હોય છે. તેઓનો અધરોષ્ઠ– નીચેનો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, પુષ્ટ, ઉપરના હોઠ કરતાં લાંબો, કંઈક વળેલો હોવાથી સુંદર, શ્રેષ્ઠ દેખાતો હોય છે. તેઓનો ઉપરનો હોઠ સુંદર હોય છે. તેઓના દાતદહીં, જલકણ, ચંદ્ર, કુંદપુષ્પ (મોગરો), વાસંતીની કળી જેવા શ્વેત, પોલાણરહિત, વિમળ હોય છે. તેઓનું તાલુ, જિહા- રક્ત કમળની પાંખડીઓની જેમ લાલ, મૃદુ, સુકુમાર હોય છે. તેઓની નાસિકા- કણેર વૃક્ષની કલિકાની જેમ અટિલ, બે ભ્રમરની મધ્યમાંથી નીકળતી, સરળ, ઉત્તેગ-ઊંચી, અણીયાળી હોય છે. તેઓના નયનો- શરદ ઋતુના નૂતન વિકસિત સૂર્ય વિકાસી પડ્યો, ચંદ્રવિકાસી કુમુદ-ઉત્પલો, કુવલયનીલોત્પલ, નીલકમળોના નિર્મળ પત્રોના સમૂહ જેવા અર્થાત્ રક્ત, શ્વેત અને નીલવર્ણી, શુભલક્ષણોના