________________
૫/૩/૪૯૬ થી ૫૦૩
[૫૦૧] વિક્ષમ ગાથા. વિષમતાએ પલ્લવ અંકુર, તે વિધમાન છે જેને તે પ્રવાલવાળા વૃક્ષો પ્રવાલપણાને પ્રાપ્ત થાય અથવા પ્રવાલવાળા વૃક્ષો વિષમપણે પરિણમે
૨૧૩
- અંકુરનું ઉગવું આદિ અવસ્થાને પામે છે. તથા ઋતુઓ સિવાયના કાળે પુષ્પ તથા ફળને આપે છે, જેમ ચૈત્રાદિ માસમાં પુષ્પાદિને દેવાવાળા આમ્રવૃક્ષો માઘ આદિમાં પુષ્પોને આપે તથા જે વર્ષમાં મેઘ બરાબર વૃષ્ટિને ન વરસાવે તે લક્ષણથી કર્મ કે ઋતુ કે સાવન સંવત્સર નામે ઓળખાય છે.
[૫૦૨] પુવિ ગાયવ - જે વર્ષમાં પૃથ્વીના રસને અને ઉદકના રસને - માધુર્ય, સ્નિગ્ધતા લક્ષણ રસ પુષ્પ તથા ફળોને તેવા સ્વભાવથી સૂર્ય આપે છે અર્થાત્ તથાવિધ ઉદક અભાવે પણ આપે છે, જેથી અલ્પ વર્ષા વડે પણ જોઈએ તેટલું ધાન્ય ઉત્પન્ન થાય તે સૂર્ય સંવત્સર.
[૫૩] માથ્વ - ગાથા - સૂર્યના તેજથી તપ્ત પૃથ્વી આદિના તાપમાં પણ ઉપચારથી ક્ષણ વગેરે તપ્યા તેમ માનવું. તેમાં ક્ષળ - મુહૂર્ત, નવ - ૪૯ ઉચ્છ્વાસ પ્રમાણ, વિવજ્ઞ - અહોરાત્ર, ઋતુ - બે માસ. જેમાં અતિક્રમે છે અને જે વાયુ વડે ઉંડેલ ધુળથી ભૂમિપ્રદેશ વ્યાપ્ત થાય છે, તેને આચાર્યો લક્ષણથી અભિવર્ધિત સંવત્સર કહે છે, તે જાણ.
સંવત્સરાદિ વ્યાખ્યાન પ્રાયઃ તત્ત્વાર્થાદિ ટીકા અનુસાર છે. સંવત્સર કહ્યો તે કાળરૂપ છે, કાળ વ્યતીત થતાં શરીરથી નીકળવું થાય છે, આ હેતુથી તેના માર્ગનું નિરૂપણ કરે છે—
- સૂત્ર-૫૦૪,૫૦૫ -
[૫૦૪] શરીરમાંથી જીવને નીકળવાનો માર્ગ પાંચ પ્રકારે છે, તે આ - પગથી, સાથળથી, હૃદયથી, મસ્તકથી, સર્વાંગથી... જીવ જો પગેથી નીકળે તો નકગામી થાય, સાથળથી નીકળે તો તિરંગામી થાય, છાતીથી નીકળે તો મનુગામી થાય, મસ્તકેથી નીકળે તો દેવગામી થાય, સર્વાંગથી નીકળતા સિદ્ધિગતિગામી થાય છે.
[૫૫] છેદન પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદ છેદન, વ્યયછેદન, બંધછેદન, પ્રદેશછેદન, દ્વિધાકાર છેદન... આનંતર્ય પાંચ પ્રકારે કહેલ છે. તે આ - ઉત્પાદનાંતર્ય, વ્યયાનંતર્ય, પ્રદેશાનંતર્ય, સમયાતંતય, સામયાનાંત... અનંતા પાંચ ભેદે કહ્યા છે, તે આ - નામાનત, સ્થાપનાનંત, દ્રવ્યાનત, ગણનાનત, પદેશાનંત અથવા અનંતા પાંચ ભેદે કહ્યા. તે આ - એકતઃ અનંત, દ્વિધા અનંત, દેશવિસ્તારાનંત, સર્વવિસ્તારાનંત, શાશ્વતાનંત.
• વિવેચન-૫૦૪,૫૦૫ -
[૫૦૪] સૂત્ર સ્પષ્ટ છે. નિર્માળ - મરણકાળે જીવનો શરીરમાંથી નીકળવાનો માર્ગ તે નિર્માણ માર્ગ - પગ વગેરે. તેમાં માર્ગભૂત અને કરણતાને પામેલ બંને પગ દ્વારા જીવ શરીરથી નીકળે છે. એ રીતે બંને સાથળ દ્વારા ઇત્યાદિને વિશે પણ જાણવું. હવે ક્રમશઃ આ નીકળવાના માર્ગના ફળને કહે છે - બંને પગ દ્વારા શરીરથી
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ ૩/૩ નીકળતો જીવ નરકમાંથી જનારો હોય છે. એ રીતે અન્યત્ર પણ જાણવું. વિશેષ એ કે - બધા અંગો તે સર્વાંગો, ત્યાંથી નીકળતો સિદ્ધિગતિને પામે છે. સિદ્ધિગતિરૂપ ભ્રમણનો અંત જેને છે તે સિદ્ધિગતિ પર્યાવસાન છે.
[૫૦૫] નિર્માણ આયુ છેદન કરતા થાય છે, માટે છેદને પ્રરૂપતા સૂત્રકાર કહે છે. સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - દેવત્વાદિ પર્યાયાંતરના ઉત્પાદ વડે જીવાદિ દ્રવ્યનો વિભાગરૂપ છેદ તે ઉત્પાદછેદન.
૨૧૮
વ્યય, મનુષ્યત્વાદિ પર્યાયના નાશ વડે જીવાદિને છેદવું તે વ્યયછેદન... જીવની અપેક્ષાએ કર્મના બંધનું છેદવું તે બંધછેદન. તથા સ્કંધોની અપેક્ષાએ સંબંધનું છેદવું તે બંધ છેદન.
જીવસ્કંધને જ નિર્વિભાગ અવયય રૂપ પ્રદેશોથી બુદ્ધિ વડે પૃથક્ કરવું તે પ્રદેશછેદન... જીવાદિ દ્રવ્યનું જે બે વિભાગરૂપ કરવું તે દ્વિધાકાર, તે જ છેદન તે દ્વિધાકાર છંદન. આ ત્રિધાકારાદિના ઉપલક્ષણ રૂપ છે... આ કથન વડે દેશથી છંદન કહ્યું અથવા ઉત્પત્તિનું છેદન એટલે વિરહ, જેમ નકગતિમાં બાર મુહૂર્તો છે... વ્યય છંદન એટલે ઉદ્વર્તન. તે એ પ્રમાણે જ છે.. બંધનવિરહ - જેમ ઉપશાંત મોહવાળાને સપ્તવિધ કર્મબંધનની અપેક્ષાએ પ્રદેશનું છંદન તે પ્રદેશવિરહ, જેમ ક્ષય કરેલ અનંતાનુબંધી આદિ કર્મપ્રદેશોનો પ્રદેશવિરહ હોય છે.
બે ધારા છે જેની તે દ્વિધારા, તરૂપ છેદન તે દ્વિધારા છેદન. ઉપલક્ષણથી એક ધારાદિ છેદન પણ જાણવું. તે ક્ષુર, તલવાર, ચક્રાદિ છેદન શબ્દના સામ્યથી અહીં ગ્રાહ્ય છે. પાઠાંતરથી પયિછેદન-એટલે માર્ગનું છેદવું - અર્થાત્ - માર્ગનું ઉલ્લંઘવું, છેદનનું વિપર્યય આનંતર્ય છે.
– તેથી કહે છે - માનંતર્વ - અવિરહ, ઉત્પાદનો અવિરહ જેમ નકગતિમાં જીવોને ઉત્કર્ષથી અસંખ્યાત સમયો સુધી છે. એ રીતે વ્યયનો પણ અવિરહ જાણવો.. પ્રદેશો અને સમયોનો અવિરહ પ્રસિદ્ધ છે.. વિવક્ષા ન કરાયેલ ઉત્પાદ, વ્યયાદિ વિશેષણવાળું આનંતર્ય સામાન્ય આનંતર્ય છે. અથવા શ્રામણ્ય વિરહ વડે જે આનંતર્ય તે શ્રામણ્યાનંતર્ય. અથવા બહુ જીવોની અપેક્ષાએ શ્રામણ્યના સ્વીકાર વડે આનંતર્ય છે.
અનંતર સૂત્રમાં આનંતર્ય કહ્યું. તે સમય અને પ્રદેશો અનંતા છે, તેથી અનંતકની પ્રરૂપણા. સૂત્ર પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - નામ વડે અનંતક તે નામ અનંતક, જેમ સિદ્ધાંત ભાષાએ વસ્ત્ર.. સ્થાપના વડે અક્ષ આદિનું સ્થાપવું તે સ્થાપના અનંતક.. જ્ઞશરીર, ભવ્ય શરીરાદિથી વ્યતિરિક્ત ગણનીય અણુ આદિ દ્રવ્યોનું અનંતક તે દ્રવ્ય અનંતક.
ગણના લક્ષણ અનંતક તે અવિવક્ષિત અણુ આદિ સંખ્યાવિશેષ તે ગણના અનંતક.. સંખ્યા કરવા યોગ્ય પ્રદેશોનું અનંતક તે પ્રદેશાનંતિક... આયામ લક્ષણ
એક અંશ વડે અનંતક તે એકતઃ અનંતક-એક શ્રેણિક ક્ષેત્ર. આયામ અને વિસ્તાર
બંનેથી જે અનંતર તે દ્વિધા અનંતક - પ્રતક્ષેત્ર.. રુચક અપેક્ષાએ પૂર્વાદિ દિશામાંથી કોઈ પણ એક દિશાલક્ષણ દેશનો ક્ષેત્ર વિસ્તાર, તેના પ્રદેશાપેક્ષાએ અનંતક તે