Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૮ઃ ઉદ્દેશક–૨
કરનાર બુદ્ધિ વિશિષ્ટ અથવા વિશાળ હોય તેને વિપુલમતિ મનઃપર્યવજ્ઞાન કહે છે. તે જ્ઞાન કોઈ પણ વિષયને ઋજુમતિની અપેક્ષાએ વિશેષ પ્રકારે અને વિશુદ્ધરૂપે જાણે છે. યથા– આ વ્યક્તિ ઘટનું ચિંતન કરે છે તે સુવર્ણનો છે, અમુક ક્ષેત્રનો કે કાલનો છે વગેરે તેનો વિષય ચાર પ્રકારનો છે.
દ્રવ્યથી :– ઋજુમતિ અનંત અત્યંત મનોવર્ગણાના સ્કંધોને જાણે છે. વિપુલમતિ તે જ સ્કંધોને કંઈક અધિક વિશુદ્ધતર રૂપે જાણે છે.
ક્ષેત્રથી :– ઋજુમતિ મન:પર્યવજ્ઞાની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અધોદિશામાં રત્નપ્રભા પૃથ્વીના ઉપરિતન તલની નીચેના ક્ષુલ્લક પ્રતરોને, ઊર્ધ્વદિશામાં જ્યોતિષી દેવલોકના ઉપરિતન તલને તથા તિર્થંગદિશામાં અઢી અંગુલ ન્યૂન મનુષ્યક્ષેત્રને અર્થાત્ તે તે ક્ષેત્રમાં રહેલા પર્યાપ્ત સંક્ષી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે છે. વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તે જ રીતે જાણે છે પરંતુ અઢી અંગુલ અધિક મનુષ્યક્ષેત્રમાં રહેલાં પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને વિશેષ પ્રકારે, વિશુદ્ધતરરૂપે અને સ્પષ્ટરૂપે જાણે દેખે છે.
કાલથી :— ૠજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા અતીત-અનાગત કાલને જાણે દેખે છે. વિપુલમતિ તેટલા જ કાલને સ્પષ્ટરૂપે, નિર્મલતર જાણે દેખે છે. ભાવથી :– ૠજુમતિ સમસ્ત ભાવોના અનંતમા ભાગને જાણે-દેખે છે. વિપુલમતિ તેને જ વિશુદ્ધતર અને સ્પષ્ટતર જાણે દેખે છે.
(૫) કેવળજ્ઞાનનો વિષય :- કેવળજ્ઞાની સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવોને યુગપત્ જાણે દેખે છે. પાંચ જ્ઞાનનો વિષય ઃ—
દ્રવ્યથી
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
અપેક્ષાએ સર્વદ્રવ્યોને જાણે દી અનમાં ઉપયોગ
હોય તો સર્વ દ્રવ્યોને જાણે-દેખે
જૂથ અનંતરૂપી દ્રવ્યોને જાણે
ઉ. સર્વરૂપી દ્રવ્યોને જાણે
ક્ષેત્રથી
અપેક્ષાએ સર્વ ક્ષેત્રને જાણે-દેખે
ચુતમાં ઉપયોગ
હોય તો સર્વ ક્ષેત્રને જાણે-દેખે
જઘ અંગુલનો અસં
ભાગ
૧૧૧
ઉં. સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યો અને
અશોકમાં પણ શોક
જેટલા અસંખ્ય ખંડ હોય તો તેને જાણે
કાલથી
અપેક્ષાએ સર્વ કાલને જાણે-દેખે
અનમાં ઉપયોગ હોય તો સર્વે કાળને
જાણે-દેખે
જય. આવિનો અસંખ્યાતમો ભાગ ભૂત અને ભવિષ્યકાળ ઉ. અનંત ઉત્સ૰ અવ ભૂત અને ભવિષ્યકાળ
ભાવથી
અપેક્ષાએ સર્વ ભાવને જાણે દેખે
જૈનમાં ઉપયોગ હોય તો સર્વ ભાવને જાણે છે.
જ અને ઉ અનંતભાવોને જાણે
સર્વ ભાવોના અનંતમા ભાગને
જાણે