Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
સંતુષ્ટ થયા. તેણે સ્નાનાદિ કર્યું યાવત્ વસ્ત્રાદિથી અને અલંકારોથી વિભૂષિત થઈને, પોતાના ઘેરથી નીકળ્યા, નીકળીને કોરંટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરીને, વિશાળ પુરુષવર્ગથી પરિવૃત્ત થઈને, પગે ચાલતાં વાણિજ્યગ્રામ નગરની મધ્યમાંથી નીકળ્યા અને જ્યાં ધ્રુતિપલાશ ઉદ્યાન હતું, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા. ત્યારપછી શતક-૯/૩૩ માં ૠષભદત્તના પ્રકરણ અનુસાર સચિત્ત દ્રવ્યોનો ત્યાગ આદિ પાંચ અભિગમપૂર્વક તે સુદર્શન શેઠ પણ ભગવાન મહાવીરની સન્મુખ ગયા, વંદન, નમસ્કાર કરીને યાવત્ ત્રણ પ્રકારે ભગવાનની પર્યુપાસના કરવા લાગ્યા.
soo
ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે સુદર્શન શ્રેષ્ઠી અને તે વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. યાવત્ દ્વિવિધ ધર્મનું આચરણ કરનાર આરાધક થાય છે.
કાલ વિષયક પ્રશ્ન ઃ
३ तरणं से सुदंसणे सेट्ठी समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा, णिसम्म हट्ठतुट्ठे उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता समणं भगवं महावीरं तिक्खुत्तो जाव णमंसित्ता एवं वयासी- =
कइविहे णं भंते ! काले पण्णत्ते ?
સુરસા ! ચવિદે જાતે ખત્ત, સંગહા- પમાળાલે, મહાભિત્તિજાતે, માળાને, અનાજાત્તે 1
ભાવાર્થ :- તત્પશ્ચાત્ તે સુદર્શન શેઠ, શ્રમણ ભગવાન મહાવીર પાસેથી સવિસ્તૃત ધર્મોપદેશ સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, અત્યંત હર્ષિત, આનંદિત તથા તૃપ્ત થયા અને ઊભા થઈને તેણે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આવર્તનયુક્ત વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું–
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કાલના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે સુદર્શન ! કાલના ચાર પ્રકાર છે. યથા– (૧) પ્રમાણકાલ (૨) યથાયુષ્યનિવૃત્તિકાલ મરણકાલ (૪) અદ્ઘાકાલ.
પ્રમાણકાલઃ
४ से किं तं पमाणकाले ?
पमाणकाले दुविहे पण्णत्ते, तंजहा - दिवसप्पमाणकाले राइप्पमाणकाले य। चउपोरिसिए दिवसे, चउपोरिसिया राई भवइ । उक्कोसिया अद्धपंचमुहुत्ता दिवसस वा राई वा पोरिसी भवइ, जहण्णिया तिमुहुत्ता दिवसस्स वा राईए वा पोरिसी भवइ ।