Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 768
________________ ૭૦૦ | શ્રી ભગવતી સૂત્ર-૩ ઔદારિક પુગલ પરાવર્તન :- નારકોના નારકપણે અતીત કે અનાગત કાલમાં ઔદારિક પુગલ પરાવર્તન થતા નથી કારણ કે નારક જીવ ઔદારિક પુદ્ગલને કદાપિ ગ્રહણ કરતા જ નથી. તેથી તે જીવોને ઔદારિક પુદગલ પરાવર્તનની સંભાવના નથી. તે જ રીતે નારકોના ભવનપતિ, વ્યતર, જ્યોતિષી કે વૈમાનિક દેવપણે પણ ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે કોઈપણ દેવ ક્યારે ય ઔદારિક પુદ્ગલને ગ્રહણ કરતા નથી. નારકોએ પૃથ્વીકાય, અપકાય આદિ ઔદારિકના દશ દંડકના જીવપણે (પ સ્થાવર + ૩ વિકસેન્દ્રિય + તિર્યંચ પંચેન્દ્રિય + મનુષ્ય) અતીતકાલમાં અનંત ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે. કારણ કે જીવે અનાદિકાલના પરિભ્રમણમાં અનંત ભવોમાં ઔદારિક શરીર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા છે અને ભવિષ્ય કાલમાં જે નારક એક, બે, ત્રણ ભવ ધારણ કરીને જ મોક્ષે જવાનો હોય તેને ઔદારિક પુલ પરાવર્તન થતા નથી. કારણ કે એક પુલ પરાવર્તનમાં અનંતકાલ વ્યતીત થાય છે. એક, બે, ત્રણ ભવમાં પુદ્ગલ પરાવર્તન જેટલો કાલ વ્યતીત થતો નથી અને જેને દીર્ઘ સંસાર પરિભ્રમણ કરવાનું છે તે જીવો જ્યારે ઔદારિક શરીર ધારણ કરે છે, ત્યારે ઔદારિક પુદ્ગલ ગ્રહણ કરે છે, તેથી જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુગલ પરાવર્તન કરશે. તે જ રીતે ભવનપતિ આદિ કોઈપણ દેવના જીવે નારકી કે દેવપણે ઔદારિક પુલ પરાવર્તન કર્યા નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. તે દેવના જીવે પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પદુગલ પરાવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ નૈરયિકોની જેમ કરશે અથવા કરશે નહીં. પુથ્વીકાયાદિ ઔદારિક શરીરધારી જીવોએ પૃથ્વીકાયાદિપણે અતીતકાલમાં અનંત ઔદારિક પુદગલ પરિવર્તન કર્યા છે અને ભવિષ્યમાં પણ તેની મોક્ષગમનની યોગ્યતા અનુસાર વિકલ્પ કરશે. આ રીતે ૨૪ દંડકના જીવોમાં જે જીવોને ઔદારિક પુદ્ગલ ગ્રહણની સંભાવના હોય તે પ્રમાણે તેના પુગલ પરાવર્તન સમજવા જોઈએ. વિક્રિય ૫ગલ પરાવર્તન :- એક નૈરયિક જીવે નૈરયિકપણે અનંત વૈક્રિય પુદ્ગલ પરાવર્તન અતીતકાલમાં કર્યા છે અને ભવિષ્યમાં તેના ભવભ્રમણની યોગ્યતા અનુસાર કરશે અથવા કરશે નહીં. જો કરશે તો જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત થશે, આ રીતે ચારે જાતિના દેવો, વાયુકાય, તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યમાં જે જીવમાં વૈક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા છે, તે સર્વમાં પૂર્વવતુ જાણવું. પૃથ્વીકાયાદિ જીવોમાં વેક્રિય પુદ્ગલ ગ્રહણની યોગ્યતા નથી. તેને જીવોને વૈક્રિય પુદ્ગલ પરાવર્તન થતા નથી. તૈજસ-કાશ્મણ પુગલ પરાવર્તન :- તૈજસ અને કાર્પણ શરીર ચોવીસ દંડકવર્તી સર્વ સંસારી જીવોને હોય છે. તેથી નારકાદિ ચોવીસ દંડકવર્તી સર્વ જીવોમાં અતીત અને અનાગતકાલમાં તેની યોગ્યતા અનુસાર તૈજસ, કાર્મણ પુદ્ગલ પરાવર્તન એકથી ઉત્તરોત્તર અનંત પુદ્ગલ પરાવર્તન થાય છે. મનપદગલ પરાવર્તન- સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને જ મન હોય છે, તેથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં એકથી

Loading...

Page Navigation
1 ... 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875