Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
| ૭૦૧ |
અનંત મનપુગલ પરાવર્તન ભૂતકાળમાં થયા હતા, થાય છે અને થશે. પરંતુ એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય જીવોમાં મન નથી, તેથી તેમાં મનપુદ્ગલ પરાવર્તન થતું નથી. વિકલેન્દ્રિય શબ્દથી અહીં એકેન્દ્રિયનું પણ ગ્રહણ થાય છે. વચન પુગલ પરાવર્તન -એકેન્દ્રિયોને છોડીને શેષ સમસ્ત સંસારી જીવોને વચન પુદ્ગલ પરાવર્તન હોય છે. શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્તન – સમસ્ત સંસારી જીવોને શ્વાસોચ્છવાસ હોય છે, તેથી શ્વાસોશ્વાસ પુલ પરાવર્તન પણ સર્વ જીવોમાં એકથી લઈને અનંત થાય છે. નરકાદિમાં બહુત્વ દષ્ટિથી પુદ્ગલ-પરાવર્તન:४७ णेरइयाणं भंते ! णेरइयत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अतीता?
गोयमा ! णत्थि एक्को वि । केवइया पुरेक्खडा ? पत्थि एक्को वि, एवं जाव थणियकुमारत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક નૈરયિક જીવોએ ભૂતકાળમાં નૈરયિકપણે કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે?
ઉત્તર- હે ગૌતમ ! એક પણ નહીં (પ્રશ્ર) હે ભગવનું ! ભવિષ્યમાં કેટલા કરશે ? (ઉત્તર) હે ગૌતમ ! એક પણ કરશે નહીં આ રીતે નિતકુમાર સુધી કહેવું જોઈએ. ४८ पुढविकाइयत्ते, पुच्छा ।
गोयमा ! अणंता । केवइया पुरेक्खडा? अणंता, एवं जाव मणुस्सत्ते । वाणमंतर-जोइसियवेमाणियत्ते जहा णेरइयत्ते, एवं जाववेमाणियस्स वेमाणियत्ते, एवं सत्त वि पोग्गलपरियट्टा भाणियव्वा; जत्थ अत्थि तत्थ अतीता वि पुरेक्खडा वि अणंता भाणियव्वा, जत्थ णत्थि तत्थ दो वि णत्थि भाणियव्वा । जाव वेमाणियाणं वेमाणियत्ते केवइया आणापाणुपोग्गलपरियट्टा अतीता? अणंता । केवइया पुरेक्खडा? अणंता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક જીવોએ પૃથ્વીકાયપણામાં કેટલા ઔદારિક પુદ્ગલ પરાવર્તન કર્યા છે?
ઉત્તર- હે ગૌતમ! અનંત કર્યા છે (પ્રશ્ન) હે ભગવન્! ભવિષ્યમાં કેટલા કરશે? (ઉત્તર) અનંત કરશે. આ રીતે મનુષ્ય ભવ સુધી કહેવું જોઈએ. જે રીતે નૈરયિકભવમાં કહ્યું છે, તે જ રીતે વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક ભવમાં કહેવું જોઈએ, આ રીતે યાવત વૈમાનિકોના વૈમાનિકભવ સુધી સાતે