Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૩
પલ્યોપમ-સાગરોપમ – આ બંને ઉપમા કાલ છે. જે કાલના પ્રમાણનું માપ પલ્ય (ખાડા)ની ઉપમાથી સમજી શકાય તે પલ્યોપમ છે. ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગરોપમ થાય છે. તેનાથી ચારે ગતિના જીવોના આયુષ્ય માપી શકાય છે. (તેનું વિસ્તૃત વિવેચન શતક-૬/૭ ‘શાલિ’ ઉદ્દેશકમાં છે. તેમજ અનુયોગ દ્વાર સૂત્રમાં છે.)
१३ णेरइयाणं भंते ! केवइयं कालं ठिई पण्णत्ता ?
sos
सुदंसणा ! ठिइपयं णिरवसेसं भाणियव्वं जाव अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈરયિકોની સ્થિતિ કેટલા કાલની કહી છે ?
ઉત્તર– હા, સુદર્શન ! અહીં પ્રજ્ઞાપના સૂત્રનું ચોથું સ્થિતિપદ સંપૂર્ણ કહેવું જોઈએ. યાવત્ સર્વાર્થસિદ્ધ દેવોની અજઘન્ય અનુત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની કહી છે.
१४ अत्थि णं भंते ! एएसिं पलिओवमसागरोवमाणं खएइ वा अवचएइ વા ? સુવંસળા! હતા, અસ્થિ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે ? ઉત્તરહા, સુદર્શન ! થાય છે.
મહાબલ ચરિત્ર :
१५ सेकेणणं भंते ! एवं वुच्चइ- अत्थि णं एएसि णं पलिओवमसागरोवमाणं जाव अवचएइ वा ?
एवं खलु सुदंसणा ! तेणं कालेणं तेणं समएणं हत्थिणापुरे णामं णयरे होत्था, वण्णओ । सहसंबवणे उज्जाणे, वण्णओ । तत्थ णं हत्थिणापुरे बले णामं राया होत्था, वण्णओ । तस्स णं बलस्स रण्णो पभावई णामं देवी होत्था । सुकुमाल पाणिपाया, वण्णओ जाव विहरइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય અને અપચય થાય છે ?
ઉત્તર– હે સુદર્શન !(પ્રશ્નને દષ્ટાંતથી સમજાવે છે) તે કાલે તે સમયે હસ્તિનાપુર નામનું નગર હતું. તે હસ્તિનાપુરમાં સહસામ્રવન નામનું ઉદ્યાન હતું. ત્યાં બલ નામના રાજા રહેતા હતા. તે બલરાજાને પ્રભાવતી નામની રાણી હતી. તેના હાથ-પગ સુકુમાર હતા, ઇત્યાદિ વર્ણન જાણવું જોઈએ યાવત્ તે સુખપૂર્વક રહેતી હતી. નગરી, ઉદ્યાન, રાજા, રાણી આદિનું વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.