Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૨
OR
O
શતક-૧ર : ઉદ્દેશક-૧
શખ
ઉદ્દેશકોનાં નામ ઃ
संखे जयंती पुढवी, पोग्गल अइवाय राहु लोगे य । णागे य देव आया, बारसमसए दसुद्देसा ॥
શ્રી ભગવતી સૂત્ર–૩
ROR IOS
ભાવાર્થ :- આ શતકમાં દશ ઉદ્દેશક છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) શંખ (૨) જયંતી (૩) પૃથ્વી (૪) પુદ્ગલ (૫) અતિપાત (૬) રાહુ (૭) લોક (૮) નાગ (૯) દેવ (૧૦) આત્મા.
વિવેચન :
આ શતકના દશ ઉદ્દેશક છે. જેના નામ તેના મુખ્ય અથવા આધ વિષયના આધારે છે. (૧) સંઘે : શંખ અને પુષ્કલી શ્રાવકના જીવનનો પ્રસંગ હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘શંખ’ છે. (૨) નવંતી :- જયંતિ શ્રાવિકાનું વૃત્તાંત હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘જયંતી’ છે.
(૩) પુવી :– રત્નપ્રભા આદિ સાત પૃથ્વીનું અતિદેશાત્મક કથન હોવાથી ત્રીજા ઉદ્દેશકનું નામ ‘પૃથ્વી’ છે. (૪) પોાત :– પુદ્ગલ દ્રવ્યના ભેદ રૂપ પરમાણુ અને સ્કંધ વિષયક વિસ્તૃત વર્ણન હોવાથી ચોથા ઉદ્દેશકનું નામ ‘પુદ્ગલ’ છે.
(૧) અફ્લાય :- પ્રાણાતિપાત પ્રમુખ ૧૮ પાપસ્થાનક અને તેની વિરતિમાં વર્ણાદિનું નિરૂપણ હોવાથી પાંચમા ઉદ્દેશકનું નામ ‘અતિપાત’ છે.
(૬) રાહુ :– ચંદ્ર ગ્રહણના નિમિત્તભૂત રાહુ વિમાન વિષયક વર્ણન મુખ્ય હોવાથી છઠ્ઠા ઉદ્દેશકનું નામ ‘રાહુ’ છે.
(૭) તાોને :– જીવના અનંત જન્મ મરણનું વર્ણન છે અને જન્મ મરણનું સ્થાન લોક હોવાથી સાતમા ઉદ્દેશકનું નામ ‘લોક’ છે.
(૮) ખાને ઃ– દેવની નાગ આદિમાં ઉત્પત્તિ સંબંધી કથન, મુખ્ય વિષય હોવાથી આઠમા ઉદ્દેશકનું ‘નાગ’ છે.
નામ
(૬) દેવ :– ભવી દ્રવ્ય દેવ આદિ પાંચ પ્રકારના દેવોનું વર્ણન હોવાથી નવમા ઉદ્દેશકનું નામ ‘દેવ’ છે.